India China Clash : ચીને પણ માન્યું LAC પર બંને દેશો વચ્ચે સ્થિતિ નાજુક, ભારતમાં ચીની દૂતાવાસના પ્રભારીએ આપ્યું મોટુ નિવેદન

|

Mar 23, 2023 | 8:56 AM

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં LAC પર સ્થિતિ અત્યંત નાજુક અને ખતરનાક છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી સરહદ પરની સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય નહીં થાય.

India China Clash : ચીને પણ માન્યું LAC પર બંને દેશો વચ્ચે સ્થિતિ નાજુક, ભારતમાં ચીની દૂતાવાસના પ્રભારીએ આપ્યું મોટુ નિવેદન
Image Credit source: Twitter

Follow us on

ચીને ભારત સાથેના સંબંધોને લઈને ઘણી વાત કરી છે. ચીને કહ્યું છે કે, તે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતું. ભારતમાં ચીની દૂતાવાસના પ્રભારી મા જિયાએ બુધવારે કહ્યું હતું કે, લદ્દાખમાં એલએસી નજીક બગડતી પરિસ્થિતિને કારણે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હશે, પરંતુ વાસ્તવમાં બંને પક્ષો સરહદી વિસ્તારોમાં યુદ્ધ ઈચ્છતા નથી.

આ પણ વાચો: India US Relations: ઈતિહાસમાં પહેલીવાર સેનાથી સેનાની સીધી વાત, અમેરિકાએ LAC પર ભારતને કર્યું એલર્ટ !

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જિયાએ કહ્યું કે, સરહદ પર સ્થિતિ સ્થિર છે. તેમણે કહ્યું કે બંને પક્ષો સરહદ પર સ્થિતિને નિયંત્રિત કરવા માટે વાતચીત કરી રહ્યા છે. તે જ સમયે, જ્યારે ચીનના રાજદૂતને પૂછવામાં આવ્યું કે, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે, સરહદ પર પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે, તેના જવાબમાં જિયાએ કહ્યું કે, આ જ કારણ છે કે બંને પક્ષો રાજદ્વારી અને લશ્કરી ચેનલો દ્વારા વાતચીત કરી રહ્યા છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

ચીન અને ભારત ઈચ્છતા નથી યુદ્ધ

તેમણે કહ્યું કે, WMCC (ભારત-ચીન બોર્ડર અફેર્સ પર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન માટે વર્કિંગ મિકેનિઝમ) અને કમાન્ડર લેવલની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ રહી છે, કારણ કે અહીં કેટલીક સમસ્યાઓ છે. આપણે તેનો સામનો કરવો પડશે. ઝિયાએ વધુમાં કહ્યું કે, અમને ખાતરી છે કે ચીન અને ભારત યુદ્ધ ઇચ્છતા નથી. અમારામાંથી કોઈ પણ પક્ષ સરહદી વિસ્તારોમાં યુદ્ધ ઈચ્છતા નથી.

બંને પક્ષો ચોક્કસપણે કોઈ માર્ગ શોધી કાઢશે

જિયાએ કહ્યું કે, જ્યાં સુધી અમારી પાસે આ પ્રકારનો ઈરાદો છે અને એકબીજાની સમજ છે ત્યાં સુધી મને ખાતરી છે કે અમે કોઈને કોઈ રસ્તો શોધી કાઢીશું. તેમણે કહ્યું કે સીમા મુદ્દે સમજૂતી સુધી પહોંચવું સરળ નથી, કારણ કે તે ખૂબ જ જટિલ સમસ્યા છે. જિયાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાવવામાં આવેલી સર્વસંમતિ બંને પક્ષોને માર્ગ શોધવામાં મદદ કરી શકે છે.

લદ્દાખમાં LAC પરની સ્થિતિ ખતરનાક – જયશંકર

તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન સાથે ભારતના સંબંધોને લઈને મોટી વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં LACની સ્થિતિ ખૂબ જ નાજુક અને ખતરનાક છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી સરહદ પરની સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય નહીં થાય. તમને જણાવી દઈએ કે, ત્રણ વર્ષ પહેલા પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સેના વચ્ચે જબરદસ્ત અથડામણ થઈ હતી. આ દરમિયાન બંને દેશોના ઘણા સૈનિકો શહીદ થયા હતા. આ ઘટના બાદ અરુણાચલ પ્રદેશના તવાંગમાં બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી.

Next Article