સુકમા જિલ્લાના લિંગમપલ્લી બેઝ કેમ્પમાં સીઆરપીએફની 50મી બટાલિયનના જવાનોએ સાથી સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. સુકમા જિલ્લાના મારાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારનો મામલો છે. મળતી માહિતી મુજબ, મરાઈગુડાના લિંગનાપલ્લી કેમ્પમાં સીઆરપીએફની 50મી બટાલિયનના જવાનો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. આ પછી વિવાદ એટલો વધી ગયો કે એક જવાને ત્યાં હાજર બાકીના જવાનો પર ગોળીબાર કર્યો.
આ ઘટનામાં ચાર જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 3 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાંથી 1 જવાનની હાલત નાજુક છે. આ ઘટનામાં ઘણા જવાન ઘાયલ થયા છે. તમામને રાયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે વરિષ્ઠ અધિકારીઓનું કોઈ નિવેદન સામે આવ્યું નથી, જોકે આરોપી જવાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
Chhattisgarh: Four jawans of CRPF 50 Bn killed and 3 injured in a case of fratricide in a CRPF camp in Maraiguda Police station limits of Sukma. A jawan had opened fire at the camp. pic.twitter.com/4ZF64RCNKM
— ANI (@ANI) November 8, 2021
હાલ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. છત્તીસગઢ પોલીસ CRPF અધિકારીઓ સાથે મળીને ઘટનાની તપાસ કરી રહી છે. આવી ઘટનાઓ પહેલા પણ ઘણી વખત સામે આવી ચુકી છે. આવી ઘટનાઓમાં સૈનિકોના તણાવને ઘણી વખત કહેવામાં આવ્યું છે. જો કે, નક્સલ મોરચા પર તૈનાત સૈનિકો માટે, પોલીસની સાથે અર્ધલશ્કરી દળો સમયાંતરે ધ્યાન સહિત અનેક પગલાં લેતા રહે છે. હાલ આ કેસમાં વધુ સ્પષ્ટ નથી કે આ ઘટના કયા કારણોસર થઈ છે. હાલ તપાસ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે, સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ એક ગામમાંથી પાંચ લોકોનું અપહરણ કર્યું હતું જે બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું કે આ ઘટના કોન્ટા પોલીસ સ્ટેશનથી 18 કિમી દૂર જંગલની અંદર સ્થિત બેટર ગામમાં બની હતી. આ વિસ્તાર રાજધાની રાયપુરથી લગભગ 400 કિમી દૂર છે.
સુકમાના પોલીસ અધિક્ષક સુનીલ શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ શનિવારે સાંજે નક્સલવાદીઓનું એક જૂથ ગામમાં પહોંચ્યું હતું અને તેઓએ સાતમા ધોરણના વિદ્યાર્થી સહિત પાંચ ગ્રામજનોને બળજબરીથી પોતાની સાથે લઈ ગયા હતા. રવિવારે બપોરે અપહરણની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આ લોકોનું અપહરણ કેમ કરવામાં આવ્યું તે હજુ સ્પષ્ટ નથી, એમ તેણે જણાવ્યું હતું. માઓવાદીઓ કેટલીકવાર ગ્રામજનોને અમુક સમય માટે મીટિંગ માટે પણ સાથે લઈ જાય છે. બસ્તર ક્ષેત્રના આદિવાસીઓના સંગઠન સર્વ આદિવાસી સમાજે નક્સલવાદીઓને ગામડાઓ છોડી દેવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : Usha Uthup Birthday Special: નવ વર્ષની ઉંમરમાં આપ્યું પહેલું પરફોર્મન્સ, આજે અનેક દેશી-વિદેશી ભાષામાં ગાઈ છે ગીત
આ પણ વાંચો : Technology Update : જો તમારો ફોન પણ વારંવાર હેંગ થાય છે ? તો અપનાવો આ ટ્રીક
Published On - 8:11 am, Mon, 8 November 21