કોરોના સામે લડવા પૂર્વોત્તર રાજ્યોને કેન્દ્ર સરકાર આપશે 1,300 કરોડની આર્થિક સહાય, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી જાહેરાત

|

Aug 18, 2021 | 9:10 PM

સમીક્ષા બેઠક બાદ પત્રકાર પરિષદમાં મંત્રીએ કહ્યું, "આ નાણાંનો ઉપયોગ પ્રદેશના રાજ્યો દ્વારા રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા માટે પણ કરવામાં આવશે."

કોરોના સામે લડવા પૂર્વોત્તર રાજ્યોને કેન્દ્ર સરકાર આપશે 1,300 કરોડની આર્થિક સહાય, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી જાહેરાત
Central government to provide Rs 1,300 crore financial assistance to northeastern states to fight Corona, announces Health Minister Mansukh Mandvia

Follow us on

કોરોના(corona) મહામારી સામે હજુ પણ ગંભીર રીતે ઝઝુમી રહેલા ઉત્તર પૂર્વીય રાજ્યો(northeastern states)ની પરિસ્થિતિનુ મુલ્યાંકન કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી(Health Minister) દ્વારા ઉત્તર પૂર્વીય રાજ્યોની મુલાકાત લેવામાં આવી હતી. અને રાજ્યોની વર્તમાન આરોગ્ય પરિસ્થિતિનુ પણ નિરિક્ષણ કર્યુ હતુ. અને ઉત્તર પૂર્વીય રાજ્યોને માટે 1,300 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ પણ જાહેર કર્યુ હતુ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે કહ્યું કે કેન્દ્ર સરકાર કોવિડ -19 મહામારીનો સામનો કરવા માટે પૂર્વોત્તરના રાજ્યોને 1,300 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ આપશે.ઉત્તર પૂર્વીય રાજ્યો(northeastern states )ના આરોગ્ય પ્રધાનો સાથે ગુવાહાટીમાં કોવિડ -19 ની પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે માંડવિયાએ જણાવ્યું હતું કે આ પેકેજ સ્થાનિક અને જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં દવાઓની પ્રાપ્તિ, ઓક્સિજન પુરવઠો સુધારવામાં અને બેડ (સામાન્ય, આઈસીયુ અને બાળકો માટે)ની સંખ્યા વધારવા માટે સહાય પૂરી પાડવામાં મદદ કરશે.

સમીક્ષા બેઠક બાદ પત્રકાર પરિષદમાં મંત્રીએ કહ્યું કે, આ નાણાંનો ઉપયોગ પ્રદેશના રાજ્યો દ્વારા રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા માટે પણ કરવામાં આવશે.ભારત સરકાર રાજ્યોને પૂરતી રસીઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. ઉત્તરપૂર્વમાં રોગચાળાની બીજી લહેર લંબાવવાના સંદર્ભમાં, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે બીજા ભાગની સરખામણીમાં આ પ્રદેશમાં બીજી લહેર મોડી ટોચ પર પહોંચી હતી. એ જ કારણે તેને ધીમી થવામાં પણ સમય લાગી રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રસીકરણ અંગે માંડવિયાનું નિવેદન

માંડવિયાએ તાજેતરમાં કહ્યું હતું કે, “છેલ્લા બે સપ્તાહમાં, ઉત્તરપૂર્વમાં પણ ચેપના કેસોમાં ઘટાડો થયો છે અને આ એક સારો સંકેત છે. તમામ રાજ્યોએ બીજી લહેરનો સામનો કરવા માટે વિવિધ પગલાં લીધા છે અને હવે તેનો અંત આવી રહ્યો છે.બીજી બાજુ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સલાહ આપી કે, આરોગ્ય કર્મચારીઓના અથાક પ્રયત્નો પર ગર્વ લે, જેમણે જુલાઈમાં 13 કરોડથી વધુ રસીના ડોઝ આપ્યા છે. ટ્વીટમાં તેમણે એમ પણ કહ્યું હતું કે રસીકરણ અભિયાન ઓગસ્ટથી વધુ તીવ્ર બનશે અને આ સિદ્ધિ માટે આપણે આપણા આરોગ્ય કર્મચારીઓ પર ગર્વ અનુભવવો જોઈએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કોરોના સામે લડી રહેલા કેરળ રાજ્યની મુલાકાત વાયરસની સમીક્ષા કરવા માટે લીધી.રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને જોઈને, માંડવિયાએ કેરળની મુલાકાત લેવાનું નક્કી કર્યું, આ પહેલા આરોગ્ય મંત્રીએ લગભગ બે અઠવાડિયા પહેલા મુખ્યમંત્રી પીનારાયી વિજયન સાથે રોગના વધતા જતા કેસો અંગે વાત કરી હતી.

આ પણ વાંચો : Junagadh : પ્રવાસીઓ માટે ખુશખબર, ગીરમાં સિંહ દર્શનની સાથે હવે સનસેટ પોઇન્ટ, સેલ્ફી પોઇન્ટ, વોચ ટાવર અને નેચરલ પાર્કની પણ મજા માણી શકશો !

આ પણ વાંચો :તાલિબાનના ડરથી ભાગી ગયેલા અફઘાન શરણાર્થીઓને જગ્યા નથી આપી રહ્યું ઉઝબેકિસ્તાન, વિઝા આપવાનો ઇનકાર

Next Article