બુધવારે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું છે કે. આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે નવી અને નવીનીકરણીય ઉર્જા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI Scheme) દાખલ કરવાનો નિર્ણય લીધો છે. સોલર પીવી મોડ્યુલ્સ પર પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ લાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં 500 ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પન્ન કરવાનો છે. PLI યોજનાને મંજૂરી મળતાં આ લક્ષ્યાંક હેઠળ ઘણી ગતિ આવશે.
કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા અનુરાગ ઠાકુરે કહ્યું કે આ યોજના માટે 19500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. સોલાર પાવર પીવીના ક્ષેત્રમાં આયાત ઓછી થશે અને નિકાસ વધશે. ભારતમાં વૈશ્વિક સ્પર્ધાત્મક ક્ષેત્ર પણ તૈયાર થશે. તેમાં 94 હજાર કરોડનું રોકાણ આવવાની શક્યતા છે. ગ્રીન અને ક્લીન એનર્જીના ક્ષેત્રમાં ભારત આગળ વધશે.
તેમણે કહ્યું કે, સેમિકન્ડક્ટર્સના ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત માટે બીજો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇકોસિસ્ટમના વિકાસ માટે નાણાકીય પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે વિશ્વના માત્ર થોડા જ દેશો પાસે સેમિકન્ડક્ટર ઉત્પાદનની શક્તિ છે. કેબિનેટે ફ્લેટ 50 ટકા નાણાકીય પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે.
55 nm કરતા મોટા નોડ્સને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. કેબિનેટે ડિસ્પ્લે ફેબ પર વધુ પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે અગાઉ 65 એનએમ સાઇઝ સુધીના નોડ્સ માટે પ્રોત્સાહન હતું. હવે તમામ કદના નોડ્સ માટે પ્રોત્સાહનો આપવામાં આવશે. એક એકમ માટે મહત્તમ 12,000 કરોડ રૂપિયાના પ્રોત્સાહનની મર્યાદા દૂર કરવામાં આવી છે.
કેબિનેટનો ત્રીજો નિર્ણય લોજિસ્ટિક્સ નીતિને લઈને છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટ દ્વારા લોજિસ્ટિક્સ પોલિસી 2022ને મંજૂરી આપવામાં આવી છે. આ પોલિસીનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ 17 સપ્ટેમ્બરે કર્યું હતું.
Published On - 7:48 pm, Wed, 21 September 22