Breaking News: CBSEની મોટી જાહેરાત! હવે માત્ર ₹100માં જોઈ શકાશે ‘આન્સર શીટ’, ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ વચ્ચે બોર્ડનો નિર્ણય

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12ની ઓન-સ્ક્રીન માર્કિંગ (ડિજિટલ ચેકિંગ) ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

Breaking News: CBSEની મોટી જાહેરાત! હવે માત્ર ₹100માં જોઈ શકાશે આન્સર શીટ, ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ વચ્ચે બોર્ડનો નિર્ણય
| Updated on: May 17, 2026 | 3:54 PM

કોપી ચેકિંગ વિવાદ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને મોટી જાહેરાત કરી છે. હવે વિદ્યાર્થીઓ માત્ર 100 રૂપિયામાં પોતાની આન્સર શીટ (ઉત્તરવહી) જોઈ શકે છે. જણાવી દઈએ કે, પહેલા આના માટે 700 રૂપિયા આપવા પડતા હતા. ખાસ વાત એ છે કે, કોઈ પ્રશ્નની ફરીથી તપાસ કરાવવા માટે પ્રતિ પ્રશ્ન 25 રૂપિયા ફી રાખવામાં આવી છે.

સાથે જ શાળા શિક્ષણ સચિવ સંજય કુમાર અને સીબીએસઈ અધ્યક્ષ રાહુલ સિંહે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા ઓન-સ્ક્રીન માર્કિંગ સંબંધિત મુદ્દાઓ પર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ઓન-સ્ક્રીન માર્કિંગ સ્કીમને લઈને બાળકોમાં ઘણી બેચેની અને પરેશાની છે. પાસ થવાની ટકાવારી ઘટી છે, એવું બાળકોને લાગી રહ્યું છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે, આ પહેલીવાર નથી, વર્ષ 2014માં OSM (ઓન સ્ક્રીન માર્કિંગ) ની શરૂઆત કરવામાં આવી હતી.

આ વર્ષે ફરીથી અમે તેને ઇન્ટ્રોડ્યુસ (શરૂ) કર્યું છે. OSM વિદેશોમાં પણ ટેક્નોલોજીના માધ્યમથી કરવામાં આવે છે, ઘણી જગ્યાઓ પર આ પ્રકારનું માર્કિંગ થાય છે. તેમણે જણાવ્યું કે, રીવેલ્યુએશન (પુનઃમૂલ્યાંકન) ની જોગવાઈ હંમેશાથી CBSEમાં રહી છે, બાળકો કરાવી શકે છે. તેમણે કહ્યું ક, અમે પારદર્શિતા સાથે ચેક કરીશું. બાળકો અને વાલીઓની ચિંતા અમે સમજીએ છીએ.

98 લાખ 66 હજાર કોપી OSM દ્વારા તપાસવામાં આવી

CBSE ના જણાવ્યા અનુસાર, આ વખતે લગભગ 98 લાખ 66 હજાર ઉત્તરવહીઓની તપાસ ડિજિટલ માધ્યમથી કરવામાં આવી હતી. ઉત્તરવહીઓને પહેલા સ્કેન કરવામાં આવી અને પછી સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ પર પરીક્ષકોને મોકલવામાં આવી. બોર્ડનું કહેવું છે કે, આ પ્રક્રિયામાં ત્રણ સ્તરની સુરક્ષા રાખવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય.

શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ (Department of School Education and Literacy) ના સચિવ સંજય કુમારે જણાવ્યું કે, આ વખતે જ્યારે 12મા ધોરણની પરીક્ષાઓ યોજવામાં આવી, તો ઉત્તરવહીઓને સ્કેન કરીને તેની પીડીએફ નકલ બનાવવામાં આવી હતી. પરીક્ષા આપનારા 98 લાખ વિદ્યાર્થીઓની કુલ ઉત્તરવહીઓને સ્કેન કરવામાં આવી હતી અને સ્કેનિંગમાં ત્રણ સ્તરની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

13 હજાર કોપીનું મેન્યુઅલ ચેકિંગ

બોર્ડના અધિકારીઓએ એ પણ સ્વીકાર્યું કે, લગભગ 13 હજાર કોપીઓમાં ઝાંખી શાહી અથવા સ્કેનિંગ સંબંધિત સમસ્યા સામે આવી હતી. આવી તમામ કોપીઓને અલગ કરીને ફરીથી મેન્યુઅલ (હાથથી) ચેકિંગ માટે મોકલવામાં આવી, જેથી કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય.

ટોટલિંગ (સરવાળા) ની ભૂલો થઈ ગઈ ‘ખતમ’

CBSE એ કહ્યું કે, ઓન સ્ક્રીન માર્કિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે, ટોટલિંગ અને માર્ક્સ ઉમેરવામાં થતી હ્યુમન એરર લગભગ ખતમ થઈ જાય છે. ડિજિટલ સિસ્ટમ દ્વારા સ્ટેપ-બાય-સ્ટેપ માર્કિંગ રેકોર્ડ રહે છે.

વિદ્યાર્થીઓને મળશે કોપી જોવાની તક

CBSE એ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વિદ્યાર્થીને પોતાના ગુણ અંગે શંકા હોય, તો તે પોતાની ઉત્તરવહીની સ્કેન કોપી જોઈ શકે છે. આના માટે વિદ્યાર્થીઓએ નક્કી કરેલી ફી જમા કરાવવાની રહેશે. બોર્ડના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ ઉત્તરવહી જોવા, ગુણની ચકાસણી કરાવવા અને ચોક્કસ પ્રશ્નોના પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી શકે છે.

Breaking News: અમીર ઘરના વિદ્યાર્થીઓ માટે ગોઠવાયો હતો ‘આખો ખેલ’, NEET પેપર લીક કેસમાં વધુ એક ‘મોટી ધરપકડ’

Follow Us