
ધર્મેન્દ્ર પ્રધાને નીટ પેપર લીકને લઈ ચાલી રહેલા વિવાદો વચ્ચે 25 જુલાઈના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતુ. તેના સ્થાને હવે પ્રહલાદ જોશીને શિક્ષા મંત્રાલયની જવાબદારીઓ સોંપવામાં આવી છે.વધારાનો કાર્યભાર સંભાળ્યા પછી જોશીનું પહેલું નિવેદન બહાર આવ્યું છે. તેમણે આ જવાબદારીને અત્યંત નમ્રતા અને સમર્પણ સાથે નિભાવવાની પ્રતિજ્ઞા લીધી.
શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રહલાદ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ ભરોસા પર તેમને એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ મંત્રાલયની જવાબદારીઓ સંપૂર્ણ રીતે નિભાવશે.
પ્રહલાદ જોશીનો જન્મ 27 નવેમ્બર 1962ના કર્ણાટકના વિજયપુરામાં થયો હતો. તેના પિતા સ્વર્ગીય વેંકટેશ જોશી ભારતીય રેલવામાં કર્મચારી હતા. જ્યારે માતા માલતીબાઈ ગૃહિણી હતી. પ્રહલાદ જોશી કર્ણાટકના ધારવાડ મતવિસ્તારથી લોકસભા સાંસદ છે. તેમણે પાંચ વખત સંસદ સભ્ય તરીકે સેવા આપી છે. તેઓ હાલમાં કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી છે. આનો અર્થ એ થયો કે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી પાસે નવીનીકરણીય ઉર્જા, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણનો વિભાગ પણ છે.
તેમણે અગાઉ કોલસા, ખાણ અને સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી તરીકે, જોશી સ્વચ્છ ઉર્જા ક્ષમતા વધારવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમના મંત્રાલય માટેના મુખ્ય લક્ષ્યો 2030 સુધીમાં 500 GW નવીનીકરણીય અને બિન-અશ્મિભૂત ઇંધણ ઉર્જા ક્ષમતા અને 2070 સુધીમાં ચોખ્ખી-શૂન્ય ઉત્સર્જન પ્રાપ્ત કરવાના છે.
મધ્યમવર્ગમાંથી આવતા પ્રહલાદ જોશીએ શાળાનો અભ્યાસ રેલવે સ્કૂલ અને હુબલી ન્યુ ઈગ્લિશમાંથી પૂર્ણ કર્યો છે. ત્યારબાદ બીએની ડીગ્રી મેળવી હતી. રિપોર્ટ અનુસાર કોલેજના દિવસો દરમિયાન સામાજિક કાર્યો અને જનહિતના મુદાઓમાં ભાગ લીધો હતો. આગળ જઈ સામાજિક અને સાર્વજનિક જીવનમાં એક્ટિવ થયા હતા. તમને જણાવી દઈએ કે, પ્રહલાદ જોશી કર્ણાટકની ધારવાડ લોકસભા બેઠક પરથી સંસદ સભ્ય છે.