બ્રેકિંગ ન્યૂઝ : છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓનો હુમલો, ત્રણ જવાનો શહીદ, 14 ઘાયલ

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ સાથે ગોળીબારમાં ઓછામાં ઓછા પાંચ CRPF કમાન્ડો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ : છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓનો હુમલો, ત્રણ જવાનો શહીદ, 14 ઘાયલ
Naxal Attack
| Updated on: Jan 30, 2024 | 6:57 PM

બીજાપુર-સુકમા બોર્ડર પર જોનાગુડા અને અલીગુડા પાસે નક્સલવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. આ દરમિયાન 14 જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ એ જ જગ્યા છે જ્યાં 2021માં 23 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.

મળતી માહિતી મુજબ મંગળવારે સવારે નક્સલીઓએ અચાનક ટેકુલગુડમ કેમ્પ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ 17 સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણ સૈનિકોએ બલિદાન આપ્યું હતું. ઘાયલ જવાનોને હેલિકોપ્ટરમાં જગદલપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. ચાર જવાનોની હાલત ગંભીર છે, જેમને રાયપુર રીફર કરવામાં આવ્યા છે. કોબ્રા બટાલિયન અને ડીઆરજી સૈનિકો સાથે હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

 

ઘાયલ જવાનોએ જણાવ્યું કે સુકમા પોલીસે આજે જ તેકુલગુડમમાં સુરક્ષા દળોના જવાનો માટે એક નવો કેમ્પ ખોલ્યો છે. એસટીએફ અને ડીઆરજીના જવાનો કેમ્પની નજીક જોનાગુડા-અલીગુડા તરફ પેટ્રોલિંગમાં હતા.

આ પણ વાંચો : 12મી ફેબ્રુઆરીએ યોજાશે રોજગાર મેળો , PM મોદી કરશે નિમણૂક પત્રનું વિતરણ, જાણો વિગત

Published On - 6:28 pm, Tue, 30 January 24

Follow Us