Breaking News : ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર 10 રાઉન્ડ ફાયરિંગ થયું, જણાવ્યું કોને કર્યો આ હુમલો

કોચિંગ સેન્ટરની બહાર થયેલા ફાયરિંગ બાદ ખાન સરે કહ્યું કે, કેટલાક લોકોને ઓછી ફી અને સારા પરિણામોથી ડર લાગે છે. તેમણે આ હુમલા માટે કોચિંગ સેન્ટરના માલિકોને જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું કે, ગરીબ લોકોને પણ શિક્ષણનો અધિકાર છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો આનાથી ખુશ નથી. તેમણે વહીવટીતંત્રને સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી.

Breaking News : ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર 10 રાઉન્ડ ફાયરિંગ થયું, જણાવ્યું કોને કર્યો આ હુમલો
| Updated on: Jun 03, 2026 | 8:23 AM

Khan Sir Coaching Attack: પટનાના મુસલ્લહપુર હાટ વિસ્તારમાં મંગળવારની સાંજે ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર ગોળીબાર થયો હતો. અંદાજે 8-10 રાઉન્ડ ફાયરિંગ થયું હતુ. આ ઘટનામાં એક સુરક્ષા ગાર્ડ ઈજાગ્રસ્ત થયો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સંપુર્ણ મામલે હવે ખાન સરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,મુદ્દો એ છે કે, અમે આટલી સસ્તી ફીમાં કેમ અભ્યાસ કરાવી રહ્યા છીએ. આટલું સારું રિઝલ્ટ કેમ આવી રહ્યું છે.

 

 

 

ખાન સરે કહ્યું કે, જ્યારે હજારોની સંખ્યામાં પરીણામો આવે છે. તો કેટલાક અસામાજિક તત્વોનો ખતરો વધી જાય છે. તેને લાગે છે કે, તે અમને દબાવી શકે છે. હુમલાખોરોએ ઓફિસમાં સંપૂર્ણ રીતે તોડફોડ કરી છે અને ગોળીઓ ચલાવી છે. અંદાજે 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. સીસીટીવી ફુટેજ અધિકારીઓને સોંપી દેવામાં આવી છે. અમારા સુરક્ષા ગાર્ડે હુમલાખોરની ઓળખ કરી લીધી છે.

 

 

હુમલો કરનાર બાજુના કોચિંગ સેન્ટરના લોકો છે

તેમણે કહ્યું કે, હુમલો કરનાર બાજુમાં આવેલા કોચિંગ સેન્ટરના લોકો છે. તેમણે કહ્યું કે, ખાન સરના કોચિંગ સેન્ટરને બોમથી ઉડાવી દેશું. અમને સુરક્ષાની જરુર છે. આ પ્રશાસનને સંભાળવાનો મામલો છે.અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે, તેઓ સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખે. તેમજ સમજે કે, ગરીબોને પણ શિક્ષા પર અધિકાર છે. તમને જણાવી દઈએ કે, ઘટના બાદ સંપુર્ણ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે.

 

બિહારનુ પાટનગર પટના છે. લગભગ 10.5 કરોડની વસ્તી ધરાવતું બિહાર 95 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

Published On - 8:10 am, Wed, 3 June 26

Follow Us