Breaking news Jammu and Kashmir: પુંછમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા

|

Jul 18, 2023 | 9:57 AM

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે.

Breaking news Jammu and Kashmir: પુંછમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પૂંચના સિંધરા વિસ્તારમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ આ આતંકીઓને ઠાર કર્યા હતા.ભારતીય સેનાના અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળો વચ્ચે પ્રથમ અથડામણ ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યે થઈ હતી. આ પછી, વિસ્તારમાં સર્વેલન્સ સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હતા.

તે જ સમયે, આજે સવારે ફરીથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. આ દરમિયાન જબરદસ્ત ગોળીબાર થયો હતો. આ સંયુક્ત ઓપરેશનમાં ભારતીય સેનાના વિશેષ દળો, રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો સામેલ હતા. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ વિદેશી આતંકવાદી છે અને તેમની ઓળખની તપાસ કરવામાં આવી રહી છે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

આજે સવારે 5 વાગ્યે ફરી એન્કાઉન્ટર શરૂ થયું હતું

જમ્મુના ADGP મુકેશ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે આજે સવારે લગભગ 5 વાગ્યે એન્કાઉન્ટર ફરી શરૂ થયું હતું, જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરનું હવામાન છેલ્લા કેટલાક સમયથી વરસાદ અને પૂરના કારણે બગડી ગયું છે. તેને જોતા ગત સપ્તાહે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું કે ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ ઘૂસણખોરી કરી શકે છે. ત્યારથી ભારતીય સેનાએ સતર્કતા વધારી દીધી હતી. એલઓસીથી બોર્ડર સુધી એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે. દરરોજ સંયુક્ત ઓપરેશન ચલાવીને આતંકવાદીઓને ખતમ કરવામાં આવી રહ્યા છે. જ્યારથી કેન્દ્રશાસિત પ્રદેશમાંથી અનુચ્છેદ-370 હટાવવામાં આવી છે ત્યારથી અહીંનું ચિત્ર ઘણું બદલાઈ ગયું છે. આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. ઓપરેશન ‘ઓલઆઉટ’ ચલાવીને, સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં સક્રિય આતંકવાદી જૂથો અને તેમના નેટવર્કનો નાશ કર્યો છે.

 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:03 am, Tue, 18 July 23

Next Article