
દિલ્હીના માલવીય નગર સ્થિત હૌઝ રાની વિસ્તારમાં સવારે એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાના કારણે અનેક લોકો આ ઘટનાનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં અત્યારસુધી અંદાજે 21 લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે.અધિકારીઓને ડર છે કે કેટલાક લોકો હજુ પણ અંદર ફસાયેલા હોઈ શકે છે. બચાવ કામગીરી ચાલુ છે.આ સમગ્ર ઘટના બાદ ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં લોકો આ ઘટના સ્થળે એકઠા થયા છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલું છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના અંદાજે સવારે 9 કલાકે બની હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ રેસટોર્ન્ટની અંદર બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. બચાવ ટીમો દરેક વિસ્તારની તપાસ કરી રહી છે જેથી ખાતરી કરી શકાય કે કોઈ અંદર ફસાયેલું નથી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
#WATCH | Delhi | Death toll rises to 10 in Malviya Nagar restaurant fire incident, say Delhi Police.
Visuals from the site pic.twitter.com/sfrzsMzJIm
— ANI (@ANI) June 3, 2026
ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે,ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે છે. રેસ્ટોરન્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે. અત્યારસુધી રેસ્ટોરન્ટમાંથી કુલ 37 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.આ રેસ્ટોરન્ટમાં લાગેલી આગનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો જીવ બચાવવા માટે રેસ્ટોરન્ટ ઉપરના માળેથી નીચે કુદી રહહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
PM Modi condoles the loss of lives in the Malviya Nagar fire incident, announces ex-gratia of Rs 2 lakh to the next of kin of each deceased and Rs 50,000 to the injured pic.twitter.com/VbE7D3AhyB
— ANI (@ANI) June 3, 2026
ભાજપના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. માહિતી મળતાં જ, તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ્સ સક્રિય થઈ ગઈ હતી, ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Published On - 12:08 pm, Wed, 3 June 26