
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની પહેલી કેબિનેટ મીટિંગમાં સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે. રાજ્ય સરકારે રિટાયરમેન્ટ બાદ પણ કામ કરી રહેલા સરકારી અધિકારીઓની નોકરી પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અનેક વિસ્તારોમાં રિટાયરમેન્ટ પછી અધિકારીઓને કામ કરવાની છૂટ આપી હતી. પરંતુ નવા મુખ્યમંત્રીએ કહ્યું આવું થશે નહી.
મંત્રિમંડળની બેઠક બાદ સુવેન્દુ અધિકારીએ નિર્દેશ આપ્યો કે, અલગ અલગ બોર્ડ,ઓર્ગેનાઈઝેશન તેમજ પબ્લિક સેક્ટર યુનિટના નોમિનેટેડ મેમ્બર, ડાયરેક્ટર તેમજ ચેરપર્સનની ટર્મ તરત પૂર્ણ થવી જોઈએ. તમામ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી ,પ્રિન્સિપાલ સેક્રેટરીને લેટર મોકલવામાં આવ્યો છે. 60 વર્ષની ઉંમર પછી જેમની ફરીથી નિમણૂક કરવામાં આવી છે અથવા જેમની સેવા મુદત લંબાવવામાં આવી છે તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોને આ નિર્દેશનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યના વિવિધ વિભાગોમાં 900 થી વધુ સલાહકારો અને ઓએસડી કાર્યરત હતા. તત્કાલીન મમતા બેનર્જી સરકારે તેમની ફરીથી નિમણૂક કરી હતી. આમાંથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.સોમવારે સુવેન્દુ અધિકારીએ બ્યુરોક્રેટ્સને ખાસ નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે,માથું ઉંચુ કરીને કામ કરો, જો કોઈ મુશ્કેલી હોય તો સીધી મને જણાવો. અલગથી મોટિવેશનની જરુરત નથી. તેમણે આગળ કહ્યું સરકારનું કામ સરકારની રીતે કરો, સરકારી કામ કરવાનું સમ્માન હોવું જોઈએ.