
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ફરી એક વખત અનશન શરુ કરી શકે છે. તેમણે મહારાષ્ટ્ર સરકારને મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો રાજ્ય સરકારે સુચનાના અધિકારો RTIના નિયમોમાં કરેલા બદલાવને પરત નહી લે તો તે 5 જુલાઈથી અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ શરુ કરશે. અન્ના હજારે મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસને પત્ર લખી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અન્ના હજારે પોતાના પત્રમાં કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા 12 જૂનના રોજ લાગુ કરેલા મહારાષ્ટ્ર સુચનાના અધિકાર નિયમ 2026 RTI કાનુનની મુળ ભાવના વિરુદ્ધ છે.
તેમનું કહેવું છે કે, આ નવા નિયમોથી પારદર્શિતા નબળી થશે. સામાન્ય નાગરિકો માટે જાણકારી મેળવવી પહેલાથી વધારે મુશ્કેલ થઈ શકે છે. અન્ના હજારે ખાસ આરટીઆઈ આવેદન ફીમાં વધારા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારે ફી વધારવા પાછળ કોઈ નક્કી કે નાણાકીય વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું નથી. અન્ના હજારે સ્પષ્ટ કહ્યું કે,આરટીઆઈ કાનુનનો ઉદ્દેશ્ય સરકાર માટે આવક વધારો નહી પરંતુ લોકોને સુચના અધિકાર આપવાનો છે. તેમણેએ પણ માંગ કરી કે, જો ફી વધી જાય છે તો, જાણકારી આપવામાં લાપરવાહી કરનાર અધિકારીઓ પર લાગેલા દંડ પણ વધારી શકાય છે.
આ સિવાય નવા નિયમોમાં આરટીઆઈ આવેદનની સાથે ઓળખપત્ર આપવો અનિવાર્ય કરવા પર વિરોધ દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે, આરટીઆઈ એક્ટની કલમ 6(2) હેઠળ અરજદારો માટે વ્યક્તિગત માહિતી કે તેમની અરજીનું કારણ જાહેર કરવાની કોઈ જવાબદારી નથી. તેમણે કહ્યું કે, આ જોગવાઈ વ્હિસલબ્લોઅર્સ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારાઓની સલામતી માટે ખતરો ઉભો કરી શકે છે.
અન્ના હજારે એક વિષય , એક આવેદન જેવા નવા નિયમોને પણ અનાવશ્યક બતાવ્યા, તેમનું કહેવું છે કે, આનાથી નાગરિકોને વારંવાર અલગ અલગ આવેદન કરવું પડશે. જેનાથી પ્રકિયા જટિલ અને મોંઘી પડશે.
તેમણે અપીલોને ફગાવી દેવા, ટ્રાયલ દરમિયાન કાનૂની સહાય પર પ્રતિબંધ અને અરજદારના મૃત્યુ પર કેસ બંધ કરવાની જોગવાઈઓની પણ ટીકા કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, જો સરકાર આ નિયમો પાછા ખેંચશે નહીં, તો તેઓ 5 જુલાઈએ રાલેગણ સિદ્ધિમાં યાદવ બાબા મંદિરમાં ઉપવાસ શરૂ કરશે.