Breaking News: Atiq Ahmed Murder: અતીક-અશરફની સુરક્ષામાં તૈનાત તમામ 19 પોલીસ કર્મચારી ભૂર્ગભમાં

|

Apr 17, 2023 | 1:11 PM

માફિયા ભાઈઓ અતીક અહેમદ અને અશરફ અહેમદને રવિવારે રાત્રે કડક પોલીસ સુરક્ષા વચ્ચે કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અતીકના બંને સગીર પુત્રો અહજમ અને અબાન હાજર રહ્યા હતા.

Breaking News: Atiq Ahmed Murder: અતીક-અશરફની સુરક્ષામાં તૈનાત તમામ 19 પોલીસ કર્મચારી ભૂર્ગભમાં

Follow us on

અતીક-અશરફની સુરક્ષામાં તૈનાત તમામ 19 પોલીસ કર્મચારી જ ભાગી ગયા છે. જાણકારી મુજબ 19 પોલીસ કર્મચારી અતીક-અશરફને મેડિકલ કરાવવા લઈને ગયા હતા. તેમને પોલીસ સ્ટેશનની ડ્યૂટી પરથી હટાવી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે શનિવારે રાત્રે જ 3 હુમલાખોરોએ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પોલીસની સામે જ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ત્રણે હુમલાખોરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને પોલીસ સામે આત્મસમર્પણ કર્યુ હતું.

અતીક-અશરફને દફનાવવામાં આવ્યા

માફિયા ભાઈઓ અતીક અહેમદ અને અશરફ અહેમદને રવિવારે રાત્રે કડક પોલીસ સુરક્ષા વચ્ચે કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અતીકના બંને સગીર પુત્રો અહજમ અને અબાન હાજર રહ્યા હતા. બીજી તરફ અશરફની પત્ની અને તેની બે પુત્રીઓ પણ હાજર હતી.

સવારે ખાલી પેટે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે?
છોડના પાન પર વારંવાર આવી જાય છે ફૂગ ? આ ટીપ્સ અપનાવો
Spinach : લીલી શાકભાજી પાલકમાં કયા વિટામિન હોય છે? નિષ્ણાતો પાસેથી જાણો
આજનું રાશિફળ તારીખ : 17-10-2024
લોરેન્સ બિશ્નોઈના દુશ્મનોનું લિસ્ટ, જુઓ યાદીમાં કોના નામ ?
લીંબુ ખાવાના પણ નિયમ ! રસોડાની આ ભૂલ તમારા સ્વાસ્થ્ય પર કરશે મોટી અસર, જાણો

એસઆરએન હોસ્પિટલમાં અતીક અને અશરફ અહેમદનું પોસ્ટમોર્ટમ થતાં જ સાંજે જ બંનેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. ત્યાંથી ભારે પોલીસ બંદોબસ્ત સાથે પરિવાર અતીક અને અશરફના મૃતદેહને લઈને કસારી મસારી કબ્રસ્તાન ખાતે સોંપણી માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: ગુડ્ડુ મુસ્લિમ ક્યાં છે? હત્યા પહેલા અશરફે લીધું હતું નામ, UP ATF અલગ-અલગ રાજ્યમાં પાડી રહી છે દરોડા

ત્રણ સભ્યના ન્યાયિક તપાસ પંચની રચના

શનિવારે રાત્રે પ્રયાગરાજમાં માફિયા ભાઈઓ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે ન્યાયિક તપાસ પંચની રચના કરી છે. આ ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચે 60 દિવસમાં તેનો તપાસ રિપોર્ટ દાખલ કરવાનો રહેશે.

આ અંગેની માહિતી પ્રયાગરાજ કમિશનરેટ ઓફિસ દ્વારા રવિવારે બપોરે આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગૃહ વિભાગ દ્વારા કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ-1952 હેઠળ ન્યાયિક તપાસ પંચની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2 મહિનામાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સબમિટ કરવાની જવાબદારી કમિશનની રહેશે.

આ રિપોર્ટ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે. તપાસ પંચે નક્કી કરવાનું રહેશે કે ઘટનામાં ક્યાં અને કયા તબક્કે ક્ષતિ રહી છે. શું આ ઘટનાને અટકાવી શકાઈ હોત? ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઈએ. આ સંબંધમાં તપાસ પંચ પણ રિપોર્ટમાં પોતાની સલાહ આપી શકે છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 12:46 pm, Mon, 17 April 23

Next Article