ટ્વિટર (Twitter) પર ફરી એકવાર બોયકોટ(Boycott)નું અભિયાન ચાલી રહ્યું છે અને આ વખતે ટાર્ગેટ ઈ-કોમર્સ કંપની એમેઝોન(Amazon) છે. વાસ્તવમાં એમેઝોન પર જન્માષ્ટમીના દિવસે રાધા કૃષ્ણની આવી તસવીરો વેચાણ માટે મુકવાનો આરોપ છે જે ખૂબ જ વાંધાજનક છે. હિંદુ સંગઠનોએ (Hindu organizations)આ મામલે એમેઝોન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. હિંદુ જનજાગૃતિ સમિતિના જણાવ્યા અનુસાર, આ પેઇન્ટિંગ એમેઝોન તેમજ અન્ય કંપની એક્ઝોટિક ઇન્ડિયાની વેબસાઇટ પર વેચવામાં આવી રહી છે. એમેઝોનની સાથે આ કંપની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.કમિટીના જણાવ્યા અનુસાર વિરોધ વધ્યા બાદ એમેઝોને પોતાના પ્લેટફોર્મ પરથી આ પેઇન્ટિંગ હટાવી દીધી છે.
Press Release
Members of @HinduJagrutiOrg submitted a memorandum to the Police Inspector, Subramanya Nagar Benguluru, requesting action against @amazonIN for selling obscene painting of Lord Krishna with Radha on their website.#Boycott_Amazon #Boycott_ExoticIndia pic.twitter.com/E5ASG6PLSH
— HJS Karnataka (@HJSKarnataka) August 19, 2022
આ સમાચાર સામે આવ્યા બાદ કંપનીને સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને એમેઝોનનો બૉયકોટ ટ્રેન્ડમાં છે. હિંદુ જાગૃતિ સંગઠને સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે હાલમાં આ પેઇન્ટિંગ એમેઝોન અને એક્સોટિક ઇન્ડિયા બંને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. આ પેઇન્ટિંગ વેબસાઇટ પર જન્માષ્ટમી સેલના નામથી ઉપલબ્ધ હતી. વિવાદ વધવાની સાથે હવે સોશિયલ મીડિયા પર લોકો ટ્વિટરના જૂના વિવાદોનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. એમેઝોન તેના પ્લેટફોર્મ પર હાજર ઉત્પાદનોને લઈને અગાઉ પણ ઘણી વખત વિવાદોમાં ફસાઈ ચૂક્યું છે.
એમેઝોન પર આ પહેલા પણ ઘણી વખત ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. 2019માં પણ કંપની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે અમેઝોન યુએસની વેબસાઇટ પર ગોદડાં અને ટોઇલેટ કવર પર દેવતાઓના ચિત્રો મૂકીને વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં અન્ય જે કંપની પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે તે બેંગ્લોર સ્થિત કંપની છે. આ કંપની એમેઝોન પર પેઇન્ટિંગ વેચાણ માટે ઓફર કરે છે. લોકો ટ્વિટર પર આ કંપની વિશે સતત ટ્વિટ કરી રહ્યા છે.
Published On - 11:07 am, Sat, 20 August 22