સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનુ સમર્થન કરવા બદલ મળી જાનથી મારી નાખવાની ધમકી, બે યુવકની ધરપકડ

આ બાબતની નોંધ લેતા પોલીસે પોલીસ સ્ટેશનમાં 504, 506, 505 (2) IPC હેઠળ 3 લોકો સામે કેસ નોંધ્યો. આ સમગ્ર મામલામાં પોલીસે (UP Police) તપાસ કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનુ સમર્થન કરવા બદલ મળી જાનથી મારી નાખવાની ધમકી, બે યુવકની ધરપકડ
Nupur Sharma (File Image)
| Edited By: | Updated on: Jul 07, 2022 | 8:06 AM

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ (Moradabad) જિલ્લાના ઠાકુર દ્વારા કોતવાલી વિસ્તારના ભાઈપુર ગામના રહેવાસી યુવકને સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પીડિત ઠાકુરદ્વારા કોતવાલી પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી. આ બાબતની નોંધ લેતા પોલીસે કોતવાલીમાં 504, 506, 505 (2) IPC હેઠળ 3 લોકો સામે કેસ નોંધ્યો. આ સમગ્ર મામલામાં પોલીસે તપાસ કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે, ભાઈપુરના રહેવાસી નિર્મલ કુમારના પુત્ર શિવમ કુમારે નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સાઈટ પર પોસ્ટ કરી હતી. 4 જુલાઈએ યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ મોબાઈલ પર મેસેજ આવ્યો કે તમે નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરીને ઘણું ખોટું કર્યું છે.

જો તે પોસ્ટ નહીં હટાવી તો તને મારી નાખવામાં આવશે, જેની ફરિયાદ પીડિતે ઠાકુરદ્વારા કોતવાલીમાં ભાજપના નેતાઓ સાથે પહોંચીને કરી હતી. પીડિતની ફરિયાદ પર તરત જ પોલીસે કેસ નોંધ્યો છે જેમાં પીડિત દ્વારા ત્રણ યુવકો પર ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ફરિયાદના આધારે શાહબાઝ આલમ, દાનિશ, ફૈઝાન સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે તપાસ કરતાં પોલીસે આજે બે આરોપીની ધરપકડ કરી છે, જેમાં પોલીસે આલમ અને દાનિશને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી

પીડિતે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ઠાકુરદ્વારા કોતવાલી ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પીડિત યુવક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે નુપુર શર્માને સપોર્ટ કરવા બદલ તેને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણની નોંધ લેતા પોલીસે ઠાકુરદ્વારા કોતવાલીમાં ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. સમગ્ર પ્રકરણની તપાસ કરતાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

તે જ સમયે, જ્યારે આ ઘટના વિશે વિસ્તાર અધિકારી પાસેથી માહિતી લેવામાં આવી, ત્યારે અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે, ફરિયાદ કોતવાલી ઠાકુરદ્વારામાં મળી હતી. આ ફરિયાદની તાત્કાલિક નોંધ લેવામાં આવી હતી, પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે. ઠાકુરદ્વારા પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.