પીએમ મોદી પર આપવામાં આવેલા નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં ધમાસાણ, નાના પટોલે વિરુદ્ધ કાર્યવાહીની ભાજપની માગ

આ દરમિયાન, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વલસે પાટીલે ભંડારાના પોલીસ અધિક્ષક પાસેથી વિગતવાર અહેવાલ મંગાવ્યો છે. ભંડારા પોલીસ અધિક્ષક દ્વારા આ મામલામાં 12 લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાની માહિતી છે.

પીએમ મોદી પર આપવામાં આવેલા નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં ધમાસાણ, નાના પટોલે વિરુદ્ધ કાર્યવાહીની ભાજપની માગ
| Edited By: | Updated on: Jan 18, 2022 | 11:25 PM

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે (Nana Patole) દ્વારા પીએમ નરેન્દ્ર મોદી પર આપવામાં આવેલા વાંધાજનક નિવેદન પર ભાજપ આક્રમક બની ગયું છે. મંગળવારે પણ ભાજપે મહારાષ્ટ્રમાં જુદા જુદા સ્થળોએ નાના પટોલે વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે આંદોલન પણ કર્યું હતું. જેના કારણે પોલીસે ભાજપના કેટલાક નેતાઓની અટકાયત પણ કરી હતી. સાંજે, બીજેપીનું એક પ્રતિનિધિમંડળ આ જ મુદ્દાને લઈને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને મળ્યું. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવિણ દરેકરની આગેવાની હેઠળના આ પ્રતિનિધિમંડળે રાજ્યપાલ પાસે નાના પટોલે વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. ભાજપે મહામહિમને અપીલ કરી કે તેઓ રાજ્ય સરકારને નાના પટોલે સામે કેસ નોંધવા અને તેમની ધરપકડ કરવા સૂચના આપે. રાજ્યપાલે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

દરમિયાન, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે ભંડારાના પોલીસ અધિક્ષક પાસેથી વિગતવાર અહેવાલ મંગાવ્યો છે. ભંડારા પોલીસ અધિક્ષક દ્વારા આ મામલામાં 12 લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાની માહિતી છે. નાના પટોલેએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું છે કે તેઓ પીએમ નરેન્દ્ર મોદીનો નહીં પરંતુ તેમના ગામના મોદી નામના ગુંડાનો ઉલ્લેખ કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ પોલીસે તે ગુંડાની પણ ધરપકડ કરી લીધી છે. પરંતુ ભંડારા પોલીસે અમારી સંલગ્ન ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે આવી કોઈ વ્યક્તિની ધરપકડનો ઈન્કાર કર્યો છે.

કેબિનેટ બરખાસ્ત કરવા રાજ્યપાલને અપીલ કરશે- BJP પ્રદેશ અધ્યક્ષ

ભાજપના પ્રતિનિધિમંડળમાં રાજ્યપાલને મળવા ગયેલા બીજેપીના મુંબઈ અધ્યક્ષ મંગલ પ્રભાત સિંહ લોઢાએ કહ્યું કે જો બુધવારે (19 જાન્યુઆરી) સવારે 11 વાગ્યા સુધીમાં નાનાપટોલે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે, જો તેમની વિરુદ્ધ FIR નોંધવામાં નહીં આવે તો તેઓ મુંબઈમાં ચર્ચ ગેટ પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ઉપવાસ પર બેસી જશે.

બીજેપીનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળે તે પહેલાં મહારાષ્ટ્ર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે તેઓ રાજ્યપાલને કેબિનેટને બરખાસ્ત કરવા માટે અપીલ કરશે. નાના પટોલેએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી કે તેઓ પણ ભાજપના નેતાઓ સામે રાજદ્રોહનો કેસ ચલાવવા કોર્ટમાં જશે. તેઓ જાહેર ક્ષેત્રની સંસ્થાઓ અને કંપનીઓના ખાનગીકરણને દેશદ્રોહ ગણાવી રહ્યા હતા.

નિવેદન બાદ તણાવ વધ્યો, ભાજપે કરી આક્રમકતા

આ દરમિયાન, ભાજપના નેતાઓ વતી નાના પટોલે વિરુદ્ધ બયાનબાજી તેજ થઈ ગઈ છે. વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જ્યારે તેના મુકાબલે એક ખૂબ જ સાધારણ નિવેદન માટે કેબિનેટ મંત્રી નારાયણ રાણેની ધરપકડ થઈ શકે છે, પટોલેની ધરપકડ કેમ ન થઈ શકે? જ્યારે મુખ્યમંત્રીની પત્નીની સરખામણી રાબડી દેવી સાથે કરવામાં આવી ત્યારે રાજ્યની પોલીસ કાર્યવાહી કરવા પહોંચી ગઈ હતી. તો પછી શા માટે પટોલે સામે પગલાં લેવાતા નથી? રાજ્યમાં પસંદગીની કાર્યવાહી શરૂ થઈ છે, કાયદાનું કોઈ શાસન નથી.

દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે નાના પટોલે માટે ‘નાના પટોલે અસાધ્ય ફોલ્લા જે સુરજને ડૂબાડવાની વાત કરે છે’ જેવું નિવેદન આપ્યું હતું. બીજેપી નેતા અનિલ બોંડેએ તો ત્યાં સુધી કહ્યું કે જે રીતે શાઇસ્તા ખાનનો હાથ કાપવામાં આવ્યો હતો તે રીતે પટોલેનો પંજો પણ કાપવામાં આવશે. ભાજપના યુવા નેતા સુજીત જોગાસે કહ્યું કે જે પટોલેની જીભ કાપી નાખશે તેને તેઓ 1 લાખ રૂપિયાનું ઈનામ આપશે.

જાણો નાના પટોલેએ શું કહ્યું

આ રીતે નાના પટોલેના આ નિવેદનથી હાલ સમગ્ર મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે ભાજપ ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યું છે.

 

આ પણ વાંચો :  આઈએનએસ રણવીરમાં વિસ્ફોટ, 3 નૌસૈનિકો શહીદ, કેટલાક ઘાયલ

Follow Us