બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ફરી એકવાર વિપક્ષી એકતા માટે નારો લગાવ્યો છે. ઈશારામાં તેમણે કોંગ્રેસ પર વિપક્ષની એકતામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કોંગ્રેસે વિપક્ષી એકતામાં વિલંબ ન કરવો જોઈએ. બધા એક થઈને ચૂંટણી લડશે, તો જ ભાજપનો સફાયો થશે. કોંગ્રેસે હવે આગળનો નિર્ણય લેવો જોઈએ. અમે તેમની સંમતિની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.
સીપીઆઈ-એમના 11મા મહાઅધિવેશનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ સમજવું પડશે કે આપણે તમામ ધર્મ અને જાતિના લોકોને સાથે લઈને ચાલવાના છે. 2024માં જો વિપક્ષ એક થઈને ચૂંટણી લડશે તો ભાજપને 100થી ઓછી સીટ મળશે. નીતિશ કુમારે કહ્યું કે ભાજપ છોડ્યા બાદ તેઓ દિલ્હી ગયા અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા. અત્યાર સુધી અમે તેમની સંમતિની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ હવે આમાં વધુ વિલંબ ન કરવો જોઈએ.
#WATCH हम इंतज़ार कर रहे हैं बस आप लोग (कांग्रेस) जल्दी फैसला लें। अगर मेरा सुझाव मानें और सब साथ मिलकर लड़ें तो ये (भाजपा) 100 से नीचे जाएंगे लेकिन अगर मेरा सुझाव नहीं मानेंगे तो क्या होगा वो आप जानिए: CPI-M के 11वें जनरल कन्वेंशन में बिहार के मुख्यमंत्री नीतीश कुमार, पटना pic.twitter.com/Qvj4Ho6siy
— ANI_HindiNews (@AHindinews) February 18, 2023
સીપીઆઈ-એમના 11મા મહાઅધિવેશનમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું. તેજસ્વી યાદવે કહ્યું કે બીજેપી સાથે હોવા પર તમારા પર ગમે તેટલા દાગ લાગી ગયા હોય, તે વોશિંગ મશીનની અંદર સાફ થઈ જશે. તમે બધા દેશના બંધારણને બચાવવા માટે લડી રહ્યા છો. એટલા માટે અમે આપ સૌનો આભાર માનીએ છીએ.
BJP के साथ रहने पर आप पर कितना भी दाग लगा होगा वाशिंग मशीन के अंदर साफ कर दिया जाएगा। आप सब लोग देश के संविधान को बचाने के लिए लड़ रहे हैं इसलिए हम आप सबको धन्यवाद देते हैं: CPI-M के 11वें जनरल कन्वेंशन में बिहार के उपमुख्यमंत्री तेजस्वी यादव, पटना pic.twitter.com/aE6PstpHto
— ANI_HindiNews (@AHindinews) February 18, 2023
Published On - 1:17 pm, Sat, 18 February 23