Bihar: સાસારામ અને નાલંદામાં હંગામા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહની સાસારામની મુલાકાત રદ્દ કરવામાં આવી, કલમ-144 લાગુ કરવામાં આવી

|

Apr 01, 2023 | 1:45 PM

જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહ શનિવારે સાંજે રાજધાની પટના પહોંચવાના છે. પટના અને નવાદામાં યોજાનાર તેમનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો નથી. માત્ર સાસારામમાં યોજાનાર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે.

Bihar: સાસારામ અને નાલંદામાં હંગામા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહની સાસારામની મુલાકાત રદ્દ કરવામાં આવી, કલમ-144 લાગુ કરવામાં આવી

Follow us on

Sasaram Violence: બિહારના સાસારામ અને નાલંદામાં હંગામા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહની સાસારામની મુલાકાત રદ કરવામાં આવી છે. સાસારામમાં કલમ-144 લાગુ કરવા અને ઈન્ટરનેટ પ્રતિબંધને કારણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ આ વાતની પુષ્ટિ કરી છે. સમ્રાટ ચૌધરીએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ માત્ર નવાદાની જાહેર સભાને સંબોધશે. સાસારામની મુલાકાત હાલ પુરતી રદ કરવામાં આવી છે.

માત્ર સાસારામમાં યોજાનાર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે

જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહ શનિવારે સાંજે રાજધાની પટના પહોંચવાના છે. પટના અને નવાદામાં યોજાનાર તેમનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો નથી. માત્ર સાસારામમાં યોજાનાર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ અંગે માહિતી આપતાં ભાજપના પ્રદેશ પ્રવક્તા સંજય મયુખે કહ્યું કે, સાસારામમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંસક અથડામણ થઈ છે. ત્યાં તણાવની સ્થિતિ છે. કલમ 144 પણ લાગુ છે. જેના કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના હાવડામાં ધારા 144 લાગુ, ઈન્ટરનેટ બેન, તપાસની કામગીરી CIDને સોંપાઈ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2 એપ્રિલે સમ્રાટ અશોકની જન્મજયંતિ પર સાસારામમાં આયોજિત કાર્યક્રમ ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પોતે પણ પહોંચવાના હતા. તેઓ રેલવે ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા પણ કરશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. આ માટે ભાજપના નેતાઓએ જોરશોરથી તૈયારીઓ પણ કરી હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

તણાવને જોતા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી

તમને જણાવી દઈએ કે બિહારમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન નાલંદા, સાસારામ અને બિહાર શરીફમાં હિંસક ઘટનાઓ બની હતી. શોભા યાત્રા દરમિયાન સાસારામમાં બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને તરફથી પથ્થરમારો અને આગચંપી શરૂ થઈ ગઈ. તણાવને જોતા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. તેવી જ રીતે નાલંદામાં પણ શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો અને આગચંપીનાં બનાવો બન્યા હતા.

બિહાર પોલીસનું કહેવું છે કે શોભા યાત્રામાં હંગામો મચાવનારા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. નાલંદામાં અત્યાર સુધીમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સાસારામમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલુ છે. બીજી તરફ અમિત શાહની સાસારામની મુલાકાત રદ થવા પર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય સિન્હાએ કહ્યું કે અમિત શાહના આગમનને લઈને બિહારમાં સત્તા પર બેઠેલા લોકોમાં બેચેની છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 1:45 pm, Sat, 1 April 23

Next Article