Punjab : પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક, ફિરોઝપુરના SSP સસ્પેન્ડ

|

Jan 05, 2022 | 5:55 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી, જેના કારણે ફિરોઝપુરના SSPને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Punjab : પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક, ફિરોઝપુરના SSP સસ્પેન્ડ
Big lapse in PM Modi's security, Firozpur SSP suspended

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) ફિરોઝપુર (Firozpur) મુલાકાત દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી, જેના કારણે ફિરોઝપુરના SSPને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસમાં આ પ્રથમ કાર્યવાહી છે. વાસ્તવમાં બુધવારે ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલી યોજાવાની હતી. જો કે તેને રદ્દ કરવી પડી હતી. પીએમ રેલીના સ્થળે પહોંચી શક્યા ન હતા.

ખરાબ હવામાનને કારણે પીએમનો કાફલો હેલિકોપ્ટરના બદલે ભટિંડા એરપોર્ટથી રવાના થયો હતો. પીએમ મોદી પહેલા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક પર પહોંચવાના હતા. જો કે આના લગભગ 30 મિનિટ પહેલા વડાપ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર ફસાઈ ગયો હતો. કેટલાક દેખાવકારોએ રસ્તો બ્લોક કરી દીધો હતો.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. નડ્ડાએ ટ્વીટ કર્યું, “તે દુઃખદ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની મુલાકાત પંજાબ માટે હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે વિક્ષેપિત કરવામાં આવી છે. પરંતુ, અમે આવી નબળી માનસિકતાને પંજાબની પ્રગતિમાં અવરોધ નહીં બનવા દઈએ અને પંજાબના વિકાસ માટે અમારા પ્રયાસો ચાલુ રાખીશું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ખામીના કારણે તેઓ 20-30 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. ગૃહ મંત્રાલયે પણ આ મામલે નિવેદન આપ્યું છે. મંત્રાલયે કહ્યું કે રાજ્ય સરકારે સુરક્ષાની સાથે સાથે આકસ્મિક યોજનાઓ તૈયાર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવી જોઈતી હતી. મંત્રાલયે કહ્યું કે આવા કાફલાનું ફસાવવું એ સુરક્ષામાં મોટી ખામી છે. આ પછી સુરક્ષાના કારણોસર પીએમના કાફલાને ભટિંડા એરપોર્ટ પરત ફરવું પડ્યું હતું. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડા પ્રધાનના સમયપત્રક અને પ્રવાસની યોજનાઓ પહેલાથી જ પંજાબ સરકારને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો –

કેવી હોય છે વડાપ્રધાનની સુરક્ષા ? જાણો શું હોય છે તેનો પ્રોટોકોલ

આ પણ વાંચો –

કોરોનાના કહેર વચ્ચે સતર્કતા : સરકારે હોમ આઇસોલેશન માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો –

પંજાબ પ્રવાસ દરમિયાન PM મોદીની સુરક્ષામાં મોટી ખામી, વિરોધીઓએ કર્યો રસ્તો બ્લોક, PM ફ્લાયઓવર પર અટવાયા

Published On - 4:58 pm, Wed, 5 January 22

Next Article