મેક ઇન ઇન્ડિયાનો સિંહ સમગ્ર વિશ્વમાં જોરથી કરી રહ્યો છે ગર્જના, ભારતે પહેલીવાર 400 અરબ ડોલરના નિકાસનો લક્ષ્ય કર્યો હાંસલ

|

Mar 23, 2022 | 1:09 PM

ભારતે પ્રથમ વખત 400 અબજ ડોલરના માલની નિકાસ (Export)નું લક્ષ્ય હાંસલ કર્યું છે. આ વિશે માહિતી આપતા પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે ​​ટ્વીટ કર્યું છે.

મેક ઇન ઇન્ડિયાનો સિંહ સમગ્ર વિશ્વમાં જોરથી કરી રહ્યો છે ગર્જના, ભારતે પહેલીવાર 400 અરબ ડોલરના નિકાસનો લક્ષ્ય કર્યો હાંસલ
PM Narendra Modi (File Photo)

Follow us on

કોરોના સંકટ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભી થયેલી સ્થિતિ વચ્ચે મોદી સરકારે એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. ભારતે પ્રથમ વખત 400 અબજ ડોલરના માલની નિકાસ (Export)નું લક્ષ્ય હાંસલ કર્યું છે. આ વિશે માહિતી આપતા પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે ​​ટ્વીટ કર્યું છે કે, “ભારતે પહેલીવાર માલની નિકાસનું 400 બિલિયન ડોલર સુધીનું લક્ષ્ય હાંસલ કર્યું છે. હું આ સફળતા માટે અમારા ખેડૂતો, MSME, ઉત્પાદકો, નિકાસકારોને અભિનંદન આપવા માંગુ છું. આત્મનિર્ભર ભારત તરફની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.”

ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે તેની નિર્ધારિત સમયમર્યાદાના 9 દિવસ પહેલા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે. આંકડાઓ અનુસાર, ભારત દરરોજ એક અબજ ડોલરના માલની નિકાસ કરે છે, એટલે કે લગભગ 46 મિલિયન ડોલરની કિંમતનો સામાન દરરોજ અન્ય દેશોમાં મોકલવામાં આવતો હતો. જો આપણે મહિના વિશે વાત કરીએ, તો તે દર મહિને સરેરાશ 33 બિલિયન ડોલર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ફેબ્રુઆરીના ડેટા અનુસાર, પેટ્રોલિયમ નિકાસમાં 88.14% વૃદ્ધિ ઉપરાંત, ફેબ્રુઆરીમાં આઉટબાઉન્ડ શિપમેન્ટ ઇલેક્ટ્રોનિક માલસામાન, એન્જિનિયરિંગ ગુડ્સ, કોટન દોરા અને રસાયણોના મજબૂત પ્રદર્શનને કારણે હતું. જેમાં અનુક્રમે 34.54%, 32.04%, 33.01%, 25.38% અને 18.02% નો વધારો થયો છે.

વેપાર ખાધની ચિંતા

નિકાસમાં વધારો થયો હોવા છતાં, રશિયા-યુક્રેન સંઘર્ષના પરિણામે ક્રૂડ ઓઇલ અને અન્ય કોમોડિટીના વધતા ભાવો વચ્ચે વધતી જતી વેપાર ખાધ અંગે ચિંતા રહે છે.

દેશને મેન્યુફેક્ચરિંગ હબમાં રૂપાંતરિત કરવા અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં નોંધપાત્ર હાજરી બનાવવાની અનેક પહેલો પૈકી, સરકારે ઓટોમોબાઈલ અને ઓટો ઘટકો, ટેક્સટાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ સહિતના તમામ ક્ષેત્રોમાં પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાઓ રજૂ કરી છે.

વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલે બુધવારે ટ્વિટ કર્યું: “વડાપ્રધાન @NarendraModi જીનો #LocalGoesGlobal માટેનો સ્પષ્ટ આહ્વન એક વાસ્તવિકતા છે. તમારા દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારતે એક વર્ષમાં 400 બિલિયન ડોલરના માલની નિકાસના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે, મેક ઇન ઇન્ડિયાનો સિંહ. સમગ્ર વિશ્વમાં જોરથી ગર્જના કરે છે.

આ પણ વાંચો: દેશના ખેડૂતોને નહી થાય યુરિયાની અછત, કેન્દ્રીય કેબિનેટએ HURLના ત્રણ યુનિટના વિસ્તારની આપી મંજૂરી

આ પણ વાંચો: Saheed Diwas: આજે ઉજવાઈ રહ્યો છે શહીદ દિવસ, જાણો ભગત સિંહ સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા તથ્યો

Published On - 1:09 pm, Wed, 23 March 22

Next Article