ઝગમગી ઉઠ્યું ભગવાન રામનું નગર અયોધ્યા, એક સાથે 22 લાખથી વધુ દીવા પ્રગટ્યા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ વીડિયો

છેલ્લા 6 વર્ષથી અયોધ્યામાં દીપોત્સવનો રેકોર્ડ બની રહ્યો છે. પરંતુ આ વર્ષે અયોધ્યા ફરી પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે ભક્તોની સંખ્યામાં ભારે વધારો થશે. આવી સ્થિતિમાં અયોધ્યાની જનતાએ ખુલ્લા દિલથી તેમનું સ્વાગત કરવું જોઈએ.

ઝગમગી ઉઠ્યું ભગવાન રામનું નગર અયોધ્યા, એક સાથે 22 લાખથી વધુ દીવા પ્રગટ્યા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ વીડિયો
| Updated on: Nov 11, 2023 | 9:10 PM

રામની નગરી અયોધ્યામાં આજે એટલે કે શનિવારે પ્રકાશના પર્વ પર એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. અયોધ્યામાં એક સાથે 22 લાખ 23 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા જે એક વિશ્વ રેકોર્ડ છે. આજે આ પ્રસંગે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

એક તરફ ભગવાન રામને લગતી સાંસ્કૃતિક ટેબ્લો રજૂ કરવામાં આવી હતી તો બીજી તરફ કલાકારો સવારથી જ લોકનૃત્ય દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા. સાઉન્ડ અને લેસર શો જોવા માટે હજારો લોકો આવ્યા હતા.દરમિયાન ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે અયોધ્યાના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે.અયોધ્યાનો 30,500 કરોડ રૂપિયાથી વિકાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે નવી અયોધ્યાનું નિર્માણ થતું જોઈ રહ્યા છીએ. અયોધ્યામાં આજે અનેક ઘટનાઓ બની રહી છે.

આજે ભગવાન રામની ઝાંખી પણ કાઢવામાં આવી હતી.આ દરમિયાન રાજ્યપાલ આનંદી બેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભગવાન રામનો રાજ્યાભિષેક થયો. અયોધ્યામાં ભગવાન શ્રી રામના આગમન પર સીએમ યોગીએ આરતી કરી હતી.

આ અવસર પર યુપી સીએમએ કહ્યું કે ભગવાન શ્રી રામ વિશે એવું કહેવામાં આવે છે કે તેમને અયોધ્યાની ભૂમિ સૌથી વધુ પ્રિય હતી. સરકાર હવે તેને વિકસાવવામાં વ્યસ્ત છે. સીએમ યોગીએ કહ્યું કે 500 વર્ષ પછી મંદિરમાં રામલલાની સ્થાપના થવા જઈ રહી છે. તારીખ 22 જાન્યુઆરી 2024 થવા જઈ રહી છે, કારણ કે આ તારીખે રામ મંદિરનું ઉદ્ઘાટન થશે, જે દેશના પીએમ મોદી કરશે. આ વર્ષનો રોશનીનો તહેવાર ભવ્ય બનવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના એક ટ્વીટની જોવા મળી અસર, દેશવાસીઓએ કરી આટલા કરોડની ‘વોકલ ફોર લોકલ’ વસ્તુઓની ખરીદી

અયોધ્યાવાસીઓએ અહીં આવનાર મહેમાનોનું  સ્વાગત કરવું જોઈએ તેવું CM યોગીએ જણાવ્યુ હતું. વધુમાં CM યોગીએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે ભક્તોની સંખ્યામાં ભારે વધારો થશે. આવી સ્થિતિમાં અયોધ્યાની જનતાએ ખુલ્લા દિલથી તેમનું સ્વાગત કરવું જોઈએ. તમારે તમારા આતિથ્યથી અહીં આવનાર દરેક મહેમાનને મોહિત કરવા પડશે. છેલ્લા 6 વર્ષથી અયોધ્યામાં દીપોત્સવનો રેકોર્ડ બની રહ્યો છે. પરંતુ આ વર્ષે અયોધ્યા ફરી પોતાનો જ રેકોર્ડ તોડી રહી છે. આખું શહેર ભક્તિ ગીતોથી મંત્રમુગ્ધ છે.

Published On - 7:47 pm, Sat, 11 November 23