Jammu Kashmir: શ્રીનગરમાં સીઆરપીએફની ટુકડી પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો છે. શ્રીનગરના ચનાપૂરા વિસ્તારમાં સીઆરપીએફની 29મી બટાલિયન પર થયેલા હુમલામાં એક જવાનને પગ પર ગોળી વાગી હતી. જેને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.