Amit Shah Bengal Visit Postponed: કોરોના સંક્રમણના વધતા જતા કેસને જોતા અમિત શાહનો બંગાળ પ્રવાસ સ્થગિત

|

Jan 09, 2022 | 1:22 PM

West Bengal BJP:બંગાળની ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન સિલિગુડી, આસનસોલ, ચંદનનગર અને બિધાનનગર માટે 22 જાન્યુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેપી નડ્ડા 9 જાન્યુઆરી, રવિવારના રોજ બંગાળના બે દિવસીય પ્રવાસ પર આવવાના હતા, પરંતુ તેમનો પ્રવાસ પહેલાથી જ મુલતવી રાખવામાં આવ્યો હતો.

Amit Shah Bengal Visit Postponed: કોરોના સંક્રમણના વધતા જતા કેસને જોતા અમિત શાહનો બંગાળ પ્રવાસ સ્થગિત
Amit Shah (File Image)

Follow us on

Amit Shah Bengal Visit Postponed: બંગાળમાં કોરોના (West Bengal Corona)ના વધતા જતા કેસને જોતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની બંગાળની મુલાકાત પણ મોકૂફ રાખવામાં આવી છે. આ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બંગાળ આવવાની વાત હતી, પરંતુ કોરોનાને કારણે તેમનો બંગાળ પ્રવાસ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નગરપાલિકાની ચૂંટણી પહેલા ઉત્તર બંગાળ આવશે તેવી ચર્ચા ચાલી રહી હતી. જો કે, આ દરમિયાન, કોવિડના વધતા કેસને કારણે અમિત શાહની મુલાકાત પણ સ્થગિત કરવામાં આવી છે. ગૃહપ્રધાન આ મહિને બંગાળની મુલાકાત લેવાના હતા.

પ્રવાસ પહેલાથી જ સ્થગિત કરી દેવામાં આવ્યો

રાજ્યની ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન સિલીગુડી, આસનસોલ, ચંદનનગર અને બિધાનનગર માટે 22 જાન્યુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. જણાવી દઈએ કે જેપી નડ્ડા(JP Nadda) 9 જાન્યુઆરી, રવિવારે બંગાળના બે દિવસીય પ્રવાસ પર આવવાના હતા, પરંતુ તેમનો પ્રવાસ પહેલાથી જ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાજ્યના આરોગ્ય વિભાગના નિવેદન અનુસાર સતત બીજા દિવસે કોરોનાથી નિયમિતપણે સંક્રમિત થનારા લોકોની સંખ્યા 18 હજારથી વધુ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 63,518 લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 18,802 લોકો પોઝિટીવ આવ્યા છે. આ સિવાય 19 લોકોના મોત થયા છે.

વિધાનસભાની ચૂંટણી બાદ પક્ષના નેતાઓમાં વિખવાદ વધ્યો

ગયા વર્ષની શરૂઆતમાં યોજાયેલી બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ પછી ડિસેમ્બરમાં કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની કારમી હારથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. કોલકાતા કોર્પોરેશનની ચૂંટણીમાં હાર બાદ તાજેતરમાં રાજ્ય અને જિલ્લા એકમમાં પણ મોટાપાયે સંગઠનાત્મક ફેરબદલ કરવામાં આવ્યો હતો, જેના પછી ઘણા નેતાઓ નારાજ હોવાનું કહેવાય છે.

આ સાથે જ ચૂંટણીમાં હાર બાદ કાર્યકરોનું મનોબળ પણ ઘટી ગયું છે. આવી સ્થિતિમાં પાર્ટીના નેતાઓને એક કરવા અને કાર્યકરોનું મનોબળ વધારવા માટે નડ્ડા અને અમિત શાહની મુલાકાત નક્કી કરવામાં આવી હતી, પરંતુ કોરોનાના કારણે બંને નેતાઓની મુલાકાત રદ કરવામાં આવી છે.

રાજ્યની ચાર કોર્પોરેશનમાં 22 જાન્યુઆરીએ મતદાન

નોંધનીય છે કે 22 જાન્યુઆરીએ બંગાળની ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન આસનસોલ, સિલીગુડી, ચંદનનગર અને બિધાનનગરની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પ્રચાર અંગે આયોગે પહેલાથી જ કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. આયોગે રાજકીય પક્ષોને વર્ચ્યુઅલ પ્રચાર પર ભાર આપવા જણાવ્યું છે.

અગાઉ ચૂંટણી સભાઓમાં વધુમાં વધુ 500 લોકોને મંજૂરી આપવામાં આવી હતી, જે બાદમાં ઘટાડીને 250 કરી દેવામાં આવી હતી. કમિશન હવે ઇચ્છે છે કે, ચૂંટણી મીટીંગો ન યોજવી જોઇએ કારણ કે તેનાથી કોરોના વધુ ઝડપથી ફેલાવાની સંભાવના બની શકે છે.

આ પણ વાંચો : Uttar Pradesh Election 2022: યુપી ચૂંટણીમાં શક્તિ બતાવવા માટે તૈયાર છે નાના રાજકીય પક્ષો, જે સત્તા ફેરવી શકે છે

Next Article