Corona case in India: કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે PM મોદી આજે કરશે મહત્વની બેઠક, તૈયારીઓ અને સ્થિતિની કરશે સમીક્ષા

|

Jan 09, 2022 | 11:51 AM

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આજે દેશભરમાંથી 1.59 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 5.90 લાખને વટાવી ગઈ છે. તેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે મહત્વની બેઠક યોજવાના છે.

Corona case in India: કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે PM મોદી આજે કરશે મહત્વની બેઠક, તૈયારીઓ અને સ્થિતિની કરશે સમીક્ષા
Prime Minister Narendra Modi (file photo)

Follow us on

દેશમાં કોરોના (corona) વાયરસના કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. તમામ રાજ્યોમાંથી કોરોનાના રેકોર્ડ બ્રેક નવા કેસો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સંક્રમણના વધતા જતા કેસોને રોકવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આજે દેશભરમાંથી 1.59 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 5.90 લાખને વટાવી ગઈ છે. તેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) આજે મહત્વની બેઠક યોજવાના છે. PM આજે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજશે અને તૈયારીઓની સમીક્ષા કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના 1,59,632 નવા કેસ નોંધાયા છે, સાથે જ 327 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. આ સાથે એક્ટિવ કોરોના દર્દીઓની (Active Corona Case) સંખ્યા હવે વધીને 5,90,611 થઈ ગઈ છે. દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે છેલ્લા 24 કલાકમાં કુલ 40,863 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,44,53,603 થઈ છે.

આ સિવાય ઓમિક્રોનના નવા કેસ પણ વધીને 3,623 થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના (Health Department) જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ઓમિક્રોનથી સંક્રમિત 1,409 દર્દીઓ રિકવર થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 27 રાજ્યમાં ઓમિક્રોનના 3,623 નવા કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યાં ઓમિક્રોનના 1,009 કેસ મળી આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્ર પહેલું રાજ્ય બની ગયું છે, જ્યાં એક હજારથી વધુ ઓમિક્રોન કેસ મળી આવ્યા છે.

જાણો કયા રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ?

તે જ સમયે અન્ય રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકમાં 441, રાજસ્થાનમાં 373, કેરળમાં 333, ગુજરાતમાં 204, તમિલનાડુમાં 185, હરિયાણામાં 123, તેલંગાણામાં 123, ઉત્તર પ્રદેશમાં 113, ઓડિશામાં 60, ઓડિશામાં 28. આંધ્ર પ્રદેશ, પંજાબમાં 27, પશ્ચિમ બંગાળમાં 27, ગોવામાં 19, આસામમાં 9, મધ્ય પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 8, મેઘાલયમાં 4, આંદામાન અને નિકોબારમાં 3, ચંદીગઢમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 3, 2 પુડુચેરી, છત્તીસગઢમાં હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1, મણિપુરમાં 1, ઓમિક્રોન કેસ છે.

વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્ય સરકારોએ નાઈટ કર્ફ્યુ, વીકએન્ડ કર્ફ્યુ, સહિત શાળાઓ અને કોલેજો બંધ રાખવા સહિતના ઘણા કડક નિયંત્રણો લાદ્યા છે.

આ પણ વાંચો : Happy birthday Farhan Akhtar: બોલીવુડના ઓલરાઉન્ડર આર્ટિસ્ટ છે ફરહાન અખ્તર, જાણીએ જન્મદિવસ પર તેમની ખાસ વાતો

આ પણ વાંચો : પશુપાલકો માટે એલર્ટ! સમયસર બેંકમાં જમા કરાવો પુરા પૈસા નહીંતર 8 ટકા વધુ વ્યાજ લાગશે

Next Article