Amarnath Yatra: અમરનાથ ગુફા પાસે તબાહીમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, બચાવ કાર્યમાં હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે, વાંચો 10 મોટા અપડેટ્સ

|

Jul 09, 2022 | 8:10 AM

શુક્રવારે સાંજે દક્ષિણ કાશ્મીર (South kashmir) માં પવિત્ર અમરનાથ ગુફા (Amarnath Yatra) પાસે વાદળ ફાટવાથી સર્જાયેલા પૂરમાં ઘણા લોકો તણાઈ ગયા હતા અને ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા. ચાલો આ ઘટના સાથે જોડાયેલા 10 મોટા અપડેટ્સ પર એક નજર કરીએ.

Amarnath Yatra: અમરનાથ ગુફા પાસે તબાહીમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, બચાવ કાર્યમાં હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે, વાંચો 10 મોટા અપડેટ્સ
Sudden flood caused by cloudburst near Amarnath cave caused havoc

Follow us on

Amarnath Yatra: દક્ષિણ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા(Amarnath Cave) પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટવાથી સર્જાયેલા અચાનક પૂરને કારણે ઘણા લોકો તણાઈ ગયા હતા અને ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા. આ વાતની પુષ્ટિ કરતા એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માતને કારણે લગભગ 40 લોકો ગુમ છે અને પાંચને બચાવી લેવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી ANI તરફથી મળેલી માહિતી અનુસાર, સાંજે લગભગ 5.30 વાગ્યાની આસપાસ અમરનાથની ગુફાની નીચે વાદળ ફાટ્યું અને મોટા પ્રમાણમાં પાણી વહી ગયું. અમરનાથ પોલીસ અને NDRF અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં ઘણા ટેન્ટ અને સામુદાયિક રસોડા નષ્ટ થઈ ગયા. ચાલો આ ઘટના સાથે જોડાયેલા 10 મોટા અપડેટ્સ પર એક નજર કરીએ.

  1. જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે વાદળ ફાટવાને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે અમરનાથ યાત્રાને હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવી છે અને બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ તેને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવશે. અમરનાથ યાત્રા 30 જૂને શરૂ થઈ હતી.
  2. અધિકારીઓએ જણાવ્યું કે, ભારે વરસાદ વચ્ચે સાંજે 5.30 વાગ્યે વાદળો ફાટ્યા અને પર્વતની ઢોળાવમાંથી પાણી અને કાંપનો ગાઢ પ્રવાહ ખીણ તરફ વહેવા લાગ્યો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના મહાનિર્દેશક અતુલ કારવારે જણાવ્યું હતું કે આ દળની એક ટીમ પહેલાથી જ અસરગ્રસ્ત વિસ્તારમાં છે અને બુરારી માર્ગ અને પંચતરણીથી વધુ એક ટીમ ત્યાં પહોંચી ગઈ છે. 
  3. આ મોટી દુર્ઘટના બાદ ભારતીય સેનાએ વાદળ ફાટવાથી પ્રભાવિત વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. બચાવ કાર્ય માટે સેના હેલિકોપ્ટરની મદદ લઈ રહી છે.
  4. ગુફાના ઓટોમેટિક વેધર સ્ટેશનના જણાવ્યા અનુસાર સાંજે 4.30 થી 6.30 વાગ્યા સુધીમાં 31 મીમી વરસાદ પડ્યો હતો. જમ્મુ અને કાશ્મીર હવામાન વિભાગના ડાયરેક્ટર સોનમ લોટસે કહ્યું કે, પવિત્ર ગુફા પર તે ખૂબ જ મર્યાદિત વાદળ હતું. આ વર્ષની શરૂઆતમાં આવો વરસાદ પડ્યો હતો. પરંતુ અચાનક પૂર આવ્યું ન હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુફાની બહારના બેઝ કેમ્પમાં પાણીના અચાનક પ્રવાહને કારણે 25 ટેન્ટ અને ત્રણ સામુદાયિક રસોડા નાશ પામ્યા હતા, જ્યાં યાત્રાળુઓને ભોજન પીરસવામાં આવે છે. 
  5. ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
    આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા
    જુનવાણી ઘરોમાં કેમ રાખવામાં આવતા હતા બે બારણા, કારણ છે ઘણુ ઉંડુ
    સુરતના ત્રણ સૌથી પોશ વિસ્તાર કયા છે?
    Coconut Eating Benefits: રોજ સવારે નાળિયેર ખાવાથી શું થાય? મળશે વજન ઘટાડવા સહિત આ લાભો
    ભારતમાં સૌથી પહેલા સૂર્યાસ્ત ક્યાં થાય છે?
  6. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોની મદદ માટે સોનમર્ગ અને અન્ય સ્થળોએ અસ્થાયી હોસ્પિટલો બનાવવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ, શ્રીંગન અને દિલ્હીમાં હેલ્પલાઈન સ્થાપિત કરવામાં આવી છે, તેમજ ડિવિઝનલ કમિશનર (કાશ્મીર) ના હવાલે હેઠળ એક સંકલિત કમાન્ડ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. 
  7. જમ્મુ-કાશ્મીર પ્રશાસને બચાવ કામગીરી માટે અદ્યતન હળવા હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. કારવારે કહ્યું કે આ ઘટનામાં 15 લોકોના મોત થયા છે અને પોલીસ, સેના અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે. 
  8. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘શ્રી અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનાથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. મનોજ સિંહાજી સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી.’ તેમણે કહ્યું કે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. 
  9. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય દળો અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસનને અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાથી પ્રભાવિત લોકોને ઝડપથી બચાવવા માટે નિર્દેશ આપ્યો હતો. શાહે ટ્વીટ કર્યું કે તેમણે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહા સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
  10. તેમણે કહ્યું કે NDRF, CRPF, BSF અને સ્થાનિક પ્રશાસન બચાવ કાર્યમાં લાગેલા છે. અમારી પ્રાથમિકતા લોકોના જીવ બચાવવાની છે. હું તમામ ભક્તોને શુભકામના પાઠવું છું.
  11. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનામાં ઘણા શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

Published On - 8:10 am, Sat, 9 July 22

Next Article