યુપીમાં અખિલેશ યાદવની મોટી જાહેરાત, કહ્યું- નવરાત્રીમાં VIP સીટો પર જાહેર કરવામાં આવશે ઉમેદવાર

અખિલેશ યાદવે રવિવારે કહ્યું કે સમાજવાદી પાર્ટી નવરાત્રીના તહેવાર પર યુપીની કેટલીક વીઆઈપી સીટો માટે ટિકિટની જાહેરાત કરશે. જો કે, અખિલેશ યાદવે તે VIP બેઠકો વિશે કોઈ માહિતી આપી નથી. આ સાથે અખિલેશ યાદવે મહિલા અનામતને લઈને કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા.

યુપીમાં અખિલેશ યાદવની મોટી જાહેરાત, કહ્યું- નવરાત્રીમાં VIP સીટો પર જાહેર કરવામાં આવશે ઉમેદવાર
Akhilesh Yadav
| Edited By: | Updated on: Oct 01, 2023 | 7:49 PM

યુપીના પૂર્વ સીએમ અને વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A’નો ભાગ બનેલા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક મોટી જાહેરાત કરી છે. અખિલેશ યાદવે રવિવારે કહ્યું કે સમાજવાદી પાર્ટી નવરાત્રીના તહેવાર પર યુપીની કેટલીક વીઆઈપી સીટો માટે ટિકિટની જાહેરાત કરશે. જો કે, અખિલેશ યાદવે તે VIP બેઠકો વિશે કોઈ માહિતી આપી નથી.

આ પણ વાંચો: Ahmedabad: ATM ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, પંજાબથી બે આરોપીની ધરપકડ, સિક્યુરિટી ગાર્ડ ન હોય તેવા ATMને બનાવતા હતા ટાર્ગેટ

ભાજપ ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે તેવી વાત પ્રકાશમાં આવતાં અખિલેશ યાદવે કહ્યું છે કે અમારા ઉમેદવારો નવરાત્રી દરમિયાન લોકસભાની બેઠકો પણ લડશે અને ભાજપને હરાવવાનો સંકલ્પ લેશે. તેમણે કહ્યું કે, જો આપણે 24ની લડાઈમાં પાછળ રહી ગયા તો કોણ જાણે કયું બંધારણ આવશે અને આ દેશને ચલાવશે.

આ સાથે અખિલેશ યાદવે મહિલા અનામતને લઈને કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ પર પણ પ્રહારો કર્યા છે. મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા યુપીના પૂર્વ સીએમએ કહ્યું કે જે લોકોએ કહ્યું હતું કે તેઓ મહિલાઓને 33 ટકા અનામત આપશે, તેઓએ એમપીમાં કેટલી સીટો પર મહિલા ઉમેદવારોને ઉભા રાખ્યા છે.

મહિલા અનામતને લઈને ભાજપ પર નિશાન સાધ્યું

ભાજપ પર પ્રહાર કરતા અખિલેશ યાદવે કહ્યું કે, જેઓ મહિલાઓ માટે બિલ લાવી રહ્યા છે તેઓએ કમ સે કમ જ્યા ચૂંટણી થઈ રહી છે ત્યાં બતાવો કે મહિલાઓ માટે કેટલું અનામત આપી રહ્યા છે. શું અનામત વ્યવસ્થા અધૂરી છે, પૂર્ણ નથી? વાસ્તવમાં આ પાંચ રાજ્યોમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપે અત્યાર સુધીમાં એમપીમાં 79 સીટો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.

સમાજવાદી પાર્ટી વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A’નો ભાગ છે

આપને જણાવી દઈએ કે ભાજપને સત્તા પરથી હટાવવા માટે કોંગ્રેસ સહિત 28 વિપક્ષી દળોએ એકસાથે ‘I.N.D.I.A’નું ગઠબંધન કર્યું છે. જો કે અત્યાર સુધીમાં ગઠબંધનની ત્રણ બેઠકો થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી બેઠકોની વહેંચણીને લઈને કોઈ સત્તાવાર બેઠક થઈ નથી. આ પછી પણ, અખિલેશ યાદવ દ્વારા કેટલીક VIP બેઠકો પર ઉમેદવારીની જાહેરાત ઘણા વિરોધ પક્ષોની ઊંઘ ઉડાવી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો