આ કેવી રીતે શક્ય! 56 વર્ષ બાદ શહીદ જવાનનો પાર્થિવ દેહ પહોંચ્યો ગામ, 1968ના રોજ બની હતી ઘટના, જાણો

|

Oct 02, 2024 | 5:54 PM

ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી ભારતીય વાયુસેનાના જવાન મલખાન સિંહના પાર્થિવ દેહ તેમના ગામ પહોંચ્યો. મલખાન સિંહની શહાદતની વાર્તા પણ અનોખી છે. આજે 56 વર્ષ બાદ તેમનો પાર્થિવ દેહ તેમના ગામ પહોંચ્યો, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ કેવી રીતે શક્ય! 56 વર્ષ બાદ શહીદ જવાનનો પાર્થિવ દેહ પહોંચ્યો ગામ, 1968ના રોજ બની હતી ઘટના, જાણો

Follow us on

ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી ભારતીય વાયુસેનાના જવાન મલખાન સિંહના પાર્થિવ દેહ તેમના ગામ પહોંચ્યો. મલખાન સિંહની શહાદતની વાર્તા પણ અનોખી છે. મલખાન સિંહ 1968માં પ્લેન ક્રેશનો ભોગ બનેલા 102 મુસાફરોમાંના એક હતા. આજે 56 વર્ષ બાદ તેમનો પાર્થિવ દેહ તેમના ગામ પહોંચ્યો છે.

મલખાન સિંહનો મૃતદેહ વિશેષ વિમાન દ્વારા સહારનપુરના સરસાવા ગામમાં પહોંચ્યો હતો. ત્યાં, વાયુસેનાના જવાનોએ તેમને સરસાવા એરપોર્ટ પર અંતિમ સલામી આપી હતી, ત્યારબાદ તેમના પાર્થિવ દેહને આર્મી ટ્રકમાં મોટા કાફલા સાથે રવાના કરવામાં આવ્યો હતો.

આ સમય દરમિયાન, રસ્તામાં ઘણી જગ્યાએ, લોકોએ તેમના નશ્વર દેહ પર ફૂલોની વર્ષા કરી અને મલખાન સિંહ સિંહ તેમજ ભારત માતાની પ્રશંસામાં નારા લગાવ્યા. મલખાન સિંહના અંતિમ દર્શન કરવા લોકો દૂર-દૂરથી આવ્યા હતા. આ ઉપરાંત ગામના વડીલો, યુવાનો અને તેમના સાથીદારો તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શનની આતુરતાથી રાહ જોતા જોવા મળ્યા હતા.

Jio યુઝર્સની મોજ ! 365 દિવસના આ પ્લાનમાં 2.5GB ડેટા, કોલિંગ અને ઘણા લાભ, જાણો કિંમત
આજનું રાશિફળ તારીખ : 08-03-2025
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પહેલા શુભમન ગિલને મળ્યા સારા સમાચાર
તમન્નાહ ભાટિયા અને વિજયના બ્રેકઅપનું કારણ આવ્યું સામે
IPL 2025 પહેલા કાવ્યા મારનની સનરાઈઝર્સ હૈદરાબાદના ફેન્સ માટે ખાસ ઓફર
Lady IPS : ગુજરાતના આ મહિલા IPSના શીરે છે PM મોદીની સિક્યુરિટી ની જવાબદારી

જે વડીલોએ મલખાન સિંહને બાળપણમાં જોયો હતો તેઓ પણ તેમના ઘરો, મંદિરો અને ગામની શેરીઓમાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા ઊભા હતા. શહીદ મલખાનને આખા ગામમાં વિવિધ સ્થળોએ ત્રિરંગો ધ્વજ લહેરાવીને તેમની અંતિમ યાત્રા માટે વિદાય આપવામાં આવી હતી.

આ અકસ્માત 1968માં થયો હતો

7 ફેબ્રુઆરી 1968ના રોજ AN-12 એરક્રાફ્ટે ચંદીગઢથી લેહ માટે ઉડાન ભરી હતી, પરંતુ થોડા સમય બાદ તે ગુમ થઈ ગયું હતું. 56 વર્ષ પહેલા એટલે કે 1968માં ભારતીય વાયુસેનાનું આ વિમાન રોહતાંગ પાસમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં 102 લોકો સવાર હતા.

રોહતાંગ પાસમાં ખરાબ હવામાનનો સામનો કર્યા બાદ વિમાન ક્રેશ થયું હતું અને પીડિતોના મૃતદેહો અને અવશેષો દાયકાઓ સુધી બરફીલા પ્રદેશમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ બચ્યું ન હતું, તેમ છતાં ભારતીય સેનાએ દેશનું સૌથી લાંબુ બચાવ અભિયાન ચલાવ્યું હતું અને 2003માં વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો.

56 વર્ષ બાદ બોડી પરત આવી

ડોગરા સ્કાઉટ્સના નેતૃત્વમાં ભારતીય સેનાની શોધ અને બચાવ કામગીરી ચાલુ રહી. આ દરમિયાન ભારતીય સેનાને મોટી સફળતા મળી હતી. સેનાએ હિમાચલ પ્રદેશમાં ક્રેશ સાઇટ પરથી ચાર મૃતદેહ બહાર કાઢ્યા હતા, જેમાંથી એક એરફોર્સ સૈનિક મલખાન સિંહનો હતો. હવે 56 વર્ષ બાદ સૈનિકનો મૃતદેહ તેના ઘરે પરત આવ્યો છે પરંતુ તેની રાહ જોઈ રહેલા માતા-પિતાની આંખો પુત્રને જોતા પહેલા જ બંધ થઈ ગઈ છે.

મલખાન સિંહ પરિણીત હતા અને તેમને એક પુત્ર રામપ્રસાદ હતો જેનું અવસાન થયું છે. તેમના પૌત્રો ગૌતમ અને મનીષ મજૂરી કરે છે. સોમવારે જ્યારે પરિવારના સભ્યો અને ગ્રામજનોને સેનાના સૂત્રો પાસેથી આ સમાચાર મળ્યા ત્યારે સમગ્ર ગામનું વાતાવરણ શોકમય બની ગયું હતું. આ સાથે જ સંતોષ એ વાતનો હતો કે, જેમનો મૃતદેહ શોધવામાં 56 વર્ષનો સમય લાગ્યો હતો તે મલખાન સિંહનો મૃતદેહ આખરે મળી આવ્યો છે અને હવે તેના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે કરવામાં આવશે.

આ પણ વાંચો: Mukesh Ambani Cheap Share: મુકેશ અંબાણીના 3 સસ્તા શેરમાં ભારે ખરીદી, કિંમત છે 60 રૂપિયા કરતા પણ ઓછી, તમે પણ કર્યું છે રોકાણ?

Published On - 5:53 pm, Wed, 2 October 24

Next Article