સરકારી કર્મચારીના મૃત્યુ બાદ દત્તક લીધેલું બાળક ફેમિલી પેન્શન મેળવવા માટે હકદાર નથીઃ સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

|

Jan 18, 2023 | 3:53 PM

અધિનિયમમાં પ્રાવધાન છે કે એક હિન્દુ મહિલા જનો પતિ છે, તે તેના પતિની સ્પષ્ટ સહમતિ વિના બાળક દતક નથી લઇ શકતી, જોકે હિન્દુ વિધવા મહિલામાં આવી કોઇ પૂર્વ શરત લાગુ નથી.

સરકારી કર્મચારીના મૃત્યુ બાદ દત્તક લીધેલું બાળક ફેમિલી પેન્શન મેળવવા માટે હકદાર નથીઃ સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય
Supreme Court

Follow us on

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે સરકારી કર્મચારીની વિધવા દ્વારા તેના પતિના મૃત્યુ પછી દત્તક લીધેલું બાળક ફેમિલી પેન્શનનો હકદાર નહીં હોય. સર્વોચ્ચ અદાલતે આ સમયગાળા દરમિયાન હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ (HAMA), 1956 નો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે કાયદાની કલમ 8 અને 12 હિંદુ મહિલા, જે સગીર નથી અથવા સ્વસ્થ મનની નથી, તેને પોતાના અધિકારમાં પુત્ર અથવા પુત્રીને દત્તક લેવાની મંજૂરી આપે છે.

કોર્ટે નોંધ્યું હતું કે આ કાયદો જોગવાઈ કરે છે કે એક હિંદુ મહિલા જેનો પતિ પણ છે તે તેના પતિની સ્પષ્ટ સંમતિ વિના બાળકને દત્તક લઈ શકતી નથી. જો કે, હિન્દુ વિધવાના મહિલાના સંદર્ભમાં આવી કોઇ શરત લાગૂ નથી પડતી. આ ઉપરાંત આવી કોઈ પૂર્વશરત છૂટાછેડા લીધેલી હિન્દુ વિધવા અથવા હિન્દુ સ્ત્રી કે જેના પતિએ લગ્ન પછી આખરે સંસારનો ત્યાગ કર્યો હોય અથવા જેને સક્ષમ અદાલતે અસ્વસ્થ મનની હોવાનું જાહેર કર્યું હોય તેના સંબંધમાં આવી કોઈ પૂર્વશરત લાગુ પડતી નથી.

જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નાની બેન્ચે 30 નવેમ્બર, 2015ના બોમ્બે હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું. તેમાં એવું રાખવામાં આવ્યું હતું કે દત્તક લીધેલું બાળક સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 1972 (CCS (પેન્શન) ના નિયમ 54(14)(b) હેઠળ કૌટુંબિક પેન્શન મેળવવા માટે હકદાર રહેશે નહીં. ખંડપીઠે કહ્યું કે તે જરૂરી છે કે કૌટુંબિક પેન્શનના લાભનો વ્યાપ માત્ર તેમના જીવનકાળ દરમિયાન સરકારી કર્મચારી દ્વારા કાયદેસર રીતે દત્તક લીધેલા પુત્રો અને પુત્રીઓ સુધી જ મર્યાદિત હોય.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, “આ જોગવાઈ એટલી વ્યાપક હોઈ શકે નહીં જેટલી અપીલકર્તા (રામ શ્રીધર ચિમુરકર) માટે વિદ્વાન વકીલ દ્વારા સૂચવવામાં આવી છે. સરકાર દ્વારા કાયદેસર રીતે દત્તક લીધેલા પુત્રો કે પુત્રીઓ સુધી કુટુંબ પેન્શનના લાભનો વ્યાપ વિસ્તરવો જોઈએ તે જરૂરી છે. તેમના જીવનકાળ દરમિયાન નોકર દરમીયા દતક બાળકને લાભ મળે તે યોગ્ય છે, પરંતુ વિધવા પાછળથી બાળક દતક લે તો તેને સરકારી લાભ નહીં મળે”

Next Article