
નવા પંબન બ્રિજની ખાસયતો જોઇએ તો.નવા પંબન બ્રિજની કુલ લંબાઇ 2.08 કિલોમીટર છે અને તેના નિર્માણ પાછળ કુલ 531 કરોડનો ખર્ચ થયો છે.નવા બ્રિજના નિર્માણમાં 5 વર્ષનો સમય લાગ્યો છે.બ્રિજમાં 48.3 મીટરના કુલ 99 સ્પાન અને 72.5 મીટરના ક્લિયર સ્પાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.પુલ પર સ્થિત ટાવર 34 મીટરની ઉંચાઇ પર છે.જ્યારે કે ટ્રેક સહિત લિફ્ટ સ્પાનનું કુલ વજન 1,470 મેટ્રિક ટન છે.પુલના વર્ટિકલ લિફ્ટ સ્પેનનું વજન 660 મેટ્રિક ટન છે.નવા બ્રિજ પર બે રેલવે લાઈનનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેનાથી ટ્રેનોના આવાગમનમાં સરળતા રહે.બ્રિજ શરૂ થયા બાદ પ્રારંભે એક દિવસમાં 12 ટ્રેનો તેના પરથી પસાર થઇ શકશે.બ્રિજ પર ટ્રેન 75 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.રામેશ્વરમાં ક્યારેક 100 કિમીની ઝડપે પવન ફૂંકાય છે.આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિગ્નલને વિન્ડ સ્પીડ સાથે કનેકટ કરવામાં આવ્યું છે.જો પવનની ગતિ 50 કિમીથી વધી જશે તો ટ્રેન જાતે જ થંભી જશે.

બ્રિજ નીચેથી જહાજો સરળતાથી પસાર થઈ શકે તે માટે નેવિગેશનલ સ્પાનને 17 મીટર જેટલો ઊંચો કરી શકાય છે.બ્રિજને હાઈડ્રોલિક સિસ્ટમથી ઊંચો નીંચો કરવામાં આવશે.

કોઈ વિશાળ ક્રૂઝ શિપ પસાર થશે તો આ બ્રિજ ઉપર કરવામાં આવશે અને ટ્રેન આવે ત્યારે આ બ્રિજ રેલવે ટ્રેકને સમાંતર જોડાઈ જશે, જેના પરથી સરળતાથી ટ્રેન પસાર થઈ શકશે.