દેશમાં મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાને લઇને દિલ્હી બોર્ડર પર કરવામાં આવી રહેલું ખેડૂત આંદોલન દિન પ્રતિદિન ઉગ્ર બની રહ્યું છે. જેમાં આજે પીએમ મોદીએ પણ દિલ્હીમાં થયેલી હિંસા અંગે દુખ વ્યક્ત કર્યું હતું. જેની બાદ ખેડૂત આંદોલનના નેતા Rakesh Tikait એ ટીવી નાઇન સાથે એક્સક્લુસીવ વાતચીતમાં જણાવ્યું હતું કે જયા સુધી કાયદા પરત નહી ખેંચવામાં આવે ત્યાં સુધી આ આંદોલન શાંતિપૂર્ણ રીતે આગળ ચાલશે. Rakesh Tikait એ કહ્યું કે અમે સમાધાન માટે સરકાર સાથે વાતચીત કરીશું.
Published On - 6:00 pm, Sun, 31 January 21