Vaccination In India: ભારતના 88 ટકા વ્યસ્કોએ લીધા કોરોના વેક્સિનના બંને ડોઝ, સ્વાસ્થ્ય મંત્રીએ પાઠવી શુભેચ્છા

કોરાના સંક્રમણથી બચવા માટે ચાલી રહેલા વેક્શિનેશન અભિયાને (Vaccination Programme) એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું છે કે સવારે 8 વાગ્યા સુધી દેશમાં 1,93,13,41,918 ડોઝ આપવામાં આવ્યા છે.

Vaccination In India: ભારતના 88 ટકા વ્યસ્કોએ લીધા કોરોના વેક્સિનના બંને ડોઝ, સ્વાસ્થ્ય મંત્રીએ પાઠવી શુભેચ્છા
vaccination in india
Image Credit source: google
| Edited By: | Updated on: May 28, 2022 | 5:44 PM

કોરાના વાયરસથી (Corona virus) બચવા માટે વેક્શિનેશન અગત્ત્યની ભુમિકા ભજવી રહ્યું છે. તેના માટે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મફત વેક્શિનેશન અભિયાન (Vaccination Programme) ચાલી રહ્યું છે. તે જ વેક્શિનેશન અભિયાનમાં ભારતે આજે શાનદાર સફળતા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ મંડાવિયા (Manshukh Mandviya)એ આજે જાણકારી આપી છે કે દેશમાં 88 ટકાથી વધારે વ્યસ્કોને કોરોના માહામારી વચ્ચે વેક્શિનેશનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જે દેશ માટે એક મોટી ઉપલ્બધિ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે – 88 ટકાથી વધારે વ્યસ્કોને કોરોના સામે લડવા માટે પૂરી રીતે વેક્શિનેટેડ કરવામાં આવ્યા છે. ભારતને શુભેચ્છા. તેમણે એ પણ જણાવ્યું કે, કોરોના વેક્શિન (Corana Vaccine) લગાવ્યા બાદ પણ કોરોના નિયમોનું પાલન કરો. દેશમાં વેક્શિનેશન અભિયાન 16 જાન્યુવારી, 2021 થી શરુ થયું હતું.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાનું ટ્વિટ

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર આજે સવાર સુધીમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતમાં કુલ 193.13 કરોડથી વધારે લોકોનું વેક્શિનેશન થઈ ગયું છે.

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એ પણ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 4,47,637 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. હાલ દેશમાં એકટીવ કેસની સંખ્યા વધીને 16,308 થઈ ગઈ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.60 છે. મહામારીથી બચવા દેશમાં 16 જાન્યુવારી, 2021થી કેન્દ્ર સરકાર દ્વારા વેક્શિનેશન અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. 21 જૂનથી તેના પ્રથમ ચરણની શરુઆત થઈ હતી. રાષ્ટ્રવ્યાપી અભિયાનના રુપમાં કેન્દ્ર સરકારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મફત વેક્શિનેશન અભિયાન શરુ થયું.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા આટલી

આ બધા વચ્ચે શનિવારે જાહેર થયેલા આંકડા અનુસાર ભારતામાં નવા 2,685 કોરોના કેસ નોંધાયા છે. હવે દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,31,50,215 થઈ છે. હાલ, દેશમાં કોરાના સામે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 16.308 પર પહોંચી છે.