ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં વીજ શોક લાગતાં 4 ભાઈ-બહેનના મોત

|

Nov 19, 2023 | 9:10 PM

આ ઘટના ઉન્નાવ જિલ્લાના બારસગવાર પોલીસ સ્ટેશનના લાલમન ખેડા ગામમાં બની હતી. 9 વર્ષના મયંક, 2 વર્ષના હિમાંશી, 6 વર્ષના હિમાંક અને 4 વર્ષની માનસી ગામના રહેવાસી વીરેન્દ્ર કુમારનું વીજ શોક લાગવાથી મોત થયું હતું. ઘટના બાદ પરિવારજનો શોકમગ્ન બન્યા છે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં વીજ શોક લાગતાં 4 ભાઈ-બહેનના મોત
Uttar Pradesh

Follow us on

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક હૃદયદ્રાવી ઘટના સામે આવી છે. ઘરમાં રહેલા પંખાથી વીજશોક લાગતા એક જ પરિવારના ચાર માસુમ બાળકોના મોત થયા હતા. એક પછી એક ચારેય બાળકો પંખા સાથે ચોટી ગયા હતા. તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ચાર ભાઈ-બહેનના એક સાથે મોતથી સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામ મૃતક બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

આ ઘટના ઉન્નાવ જિલ્લાના બારસગવાર પોલીસ સ્ટેશનના લાલમન ખેડા ગામમાં બની હતી. 9 વર્ષના મયંક, 2 વર્ષના હિમાંશી, 6 વર્ષના હિમાંક અને 4 વર્ષની માનસી ગામના રહેવાસી વીરેન્દ્ર કુમારનું વીજ શોક લાગવાથી મોત થયું હતું. ઘટના બાદ પરિવારજનો શોકમગ્ન બન્યા છે.

ચારેય બાળકો એક પછી એક પંખા સાથે ચોંટી ગયા હતા

રવિવારે વિરેન્દ્રસિંહ તેની પત્ની સાથે ખેતરમાં ગયો હતો. તેમના બાળકો ઘરે હાજર હતા. ઘરમાં પંખો લગાવવામાં આવ્યો હતો, જેના દ્વારા કરંટ આવતો હતો. અચાનક એક બાળકને પંખામાં વીજ કરંટ લાગ્યો હતો. ઇલેક્ટ્રિક શોક લાગવાથી તે ચીસો પાડવા લાગ્યો. જ્યારે અન્ય એક બાળકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પણ વીજ કરંટ લાગ્યો હતો. આ પછી એક પછી એક ચારેય બાળકો વીજ કરંટ લાગતા મૃત્યુ પામ્યા. ઘરમાંથી બાળકોની ચીસોના અવાજથી આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાળકોનું દર્દનાક મોત જોઈને ત્યાં આવનાર દરેક વ્યક્તિ ચોંકી ઉઠ્યા હતા.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

આ પણ વાંચો પીએમ મોદીની સભામાં જઈ રહ્યા હતા પોલીસ કર્મચારી, ટ્રકમાં ઘૂસી કાર, 5ના મોત

જે લોકોએ આ દર્દનાક દ્રશ્ય જોયું તેઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા

વીરેન્દ્ર સિંહના ઘરનું આંગણું જે બાળકોના હાસ્યથી ગુંજતું હતું તે શોકમાં ગરકાવ છે. જ્યાં ચારેય બાળકો રમતા હતા ત્યાં તેમની લાશો પડી હતી. જેણે પણ આ દ્રશ્ય જોયું તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. સૌથી ખરાબ હાલત બાળકોના માતા-પિતાની છે. ઘરમાં તેમના વિખેરાયેલા મૃતદેહ જોઈને માતા-પિતા બેભાન થઈ ગયા હતા. જેમણે પણ આ દર્દનાક દ્રશ્ય જોયું તેઓ આંસુ રોકી શક્યા ન હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article