Manipur: વિધાનસભા ચૂંટણી પહેલા IED બ્લાસ્ટમાં ITBPના બે જવાન ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

|

Feb 21, 2022 | 9:24 AM

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ 45 કિલોમીટર દૂર કાકચિંગ જિલ્લાના વાંગુ તેરા વિસ્તારમાં રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી.

Manipur: વિધાનસભા ચૂંટણી પહેલા IED બ્લાસ્ટમાં ITBPના બે જવાન ઘાયલ, હોસ્પિટલમાં દાખલ
Manipur IED Blast (Representational Image)

Follow us on

Manipur: મણિપુર(Manipur)માં રવિવારે એક IED બ્લાસ્ટ (IED Blast) ની ઝપેટમાં આવી જતાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના બે જવાન ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. મણિપુરમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત બે તબક્કામાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે મતદાન થવાનું છે. મતગણતરી 10 માર્ચે થશે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ 45 કિલોમીટર દૂર કાકચિંગ જિલ્લાના વાંગુ તેરા વિસ્તારમાં રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી.

તેમણે કહ્યું કે વિસ્ફોટમાં કોન્સ્ટેબલ ગૌરવ રાય અને ગિરિજા શંકર ઘાયલ

અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે વિસ્ફોટ થયો ત્યારે રાજ્ય પોલીસના કર્મચારીઓ સાથે ITBPની એક ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ જવાનો રાજ્યમાં ચૂંટણી ફરજ માટે તૈનાત ITBP બટાલિયનનો ભાગ છે. કાકચિંગની સિવિલ હોસ્પિટલમાં દાખલ ઘાયલ જવાનોની હાલત સારી હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ કોન્સ્ટેબલ ગૌરવ રાય અને ગિરિજા શંકર રાજ્ય પોલીસ સાથે પેટ્રોલિંગમાં હતા. આ બંને ચૂંટણી ફરજ પર તૈનાત 610 બટાલિયનના સૈનિક છે. બંનેને જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં હિંસા ચાલુ છે

મણિપુરમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે વધુ સમય બાકી નથી, પરંતુ તે પહેલા હિંસાની ઘટનાઓએ રાજ્યમાં તણાવ વધારી દીધો છે. પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના એન્ડ્રો મતવિસ્તારમાં શુક્રવારે સાંજે ગંભીર હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા અને લગભગ 6 ઘરો અને 5 કારને ગંભીર નુકસાન થયું હતું. રાજ્યના સીએમ એન બિરેન સિંહે આ ઘટનાઓ પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે વિપક્ષી ઉમેદવારો તેમની સુરક્ષા માટે આપવામાં આવેલી સુરક્ષાનો દુરુપયોગ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

એનપીપી સમર્થકના ઘરે ગ્રેનેડ બ્લાસ્ટ થયો

IED વિસ્ફોટના ગયા અઠવાડિયે બદમાશોએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખાબીસોઇમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) સમર્થકના નિવાસસ્થાનને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ખુરાઈ વિધાનસભા મતવિસ્તારના NPP કાર્યકર્તા મોહમ્મદ ફખરુદ્દીનના ગેટ પર બદમાશોએ ગ્રેનેડ ફેંક્યો હતો. ત્યારે NPPએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક પ્રતિબંધિત ઉગ્રવાદી જૂથો મણિપુરમાં સત્તારૂઢ ભાજપ માટે ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે. મણિપુર સરકારના સહયોગી NPPએ પણ રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં તેના ઉમેદવારો માટે પૂરતી સુરક્ષાની માગણી કરી હતી.

આ પણ વાંચો : યુદ્ધ ટાળવાના પ્રયાસો વધુ તીવ્ર બન્યા, પૂર્વી યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને વ્લાદિમીર પુટિન વચ્ચે કરાર

Next Article