Maharashtra: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિશા સલિયનના મોત પર મહિલા આયોગે કરી કાર્યવાહી! પોલીસ પાસેથી 48 કલાકમાં માંગ્યો જવાબ

|

Feb 22, 2022 | 4:51 PM

મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના વડા રૂપાલી ચાકણકરે માલવાણી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષકને 48 કલાકની અંદર આ સંદર્ભમાં રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.

Maharashtra: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિશા સલિયનના મોત પર મહિલા આયોગે કરી કાર્યવાહી! પોલીસ પાસેથી 48 કલાકમાં માંગ્યો જવાબ
Disha Salian, former manager of Bollywood actor late Sushant Singh Rajput.

Follow us on

મહારાષ્ટ્રની  (Maharashtra)  આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai)  મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે  (Maharashtra State Commission for Women)  બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનની કથિત આત્મહત્યાના સંબંધમાં સોમવારે મુંબઈ પોલીસને નોટિસ જાહેર કરી છે અને આગામી બે દિવસમાં જવાબ આપવા કહેવામાં આવ્યું છે.  કેન્દ્રીય પ્રધાન અને બીજેપી નેતા નારાયણ રાણેએ જૂન 2020 માં સાલિયાનના મૃત્યુના સંજોગો પર સવાલ ઉઠાવ્યા પછી મુંબઈના મેયર કિશોરી પેડનેકરે આ સંદર્ભમાં ફરિયાદ નોંધાવી છે.

મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના વડા રૂપાલી ચાકણકરના જણાવ્યા અનુસાર, “કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ પ્રેસ કોન્ફરન્સમાં દિશા સાલિયાન પર બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવ્યા પછી અમને મુંબઈના મેયર કિશોરી પેડનેકર તરફથી એક પત્ર મળ્યો છે જેમાં આ મામલે પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. તે જ સમયે, ચાકણકરે જણાવ્યું હતું કે પેડનેકરે સોમવારે ફરિયાદ નોંધાવી હતી, જે માલવાણી પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી છે, કારણ કે સાલિયાનના મૃત્યુની ઘટના આ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ બની હતી.

રાજ્ય મહિલા આયોગની નોટિસ મળી નથી – પોલીસ અધિકારી

તે જ સમયે, રાજ્ય મહિલા આયોગના વડા રૂપાલી ચાકણકરે કહ્યું કે અમે મુંબઈ પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ, એફઆઈઆરની નકલ અને કેસ સાથે સંબંધિત અન્ય દસ્તાવેજો સહિત બે દિવસમાં રિપોર્ટ સબમિટ કરવા કહ્યું છે. આ દરમિયાન માલવણી પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ કહ્યું કે તેમને હજુ સુધી રાજ્ય મહિલા આયોગની નોટિસ મળી નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બીજેપી નેતા નારાયણ રાણેએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાલિયાનના મૃત્યુ પર ઉઠાવ્યા હતા સવાલો

તમને જણાવી દઈએ કે હાલમાં જ નારાયણ રાણેએ દિશાના મૃત્યુને લઈને ઘણા સવાલો ઉઠાવ્યા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે દિશા સાલિયાનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી અને પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર તેના પરિચિત હોવાનું કહેવાય છે. તેણે એમ પણ કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના ઘરમાં સાવન નામનો વ્યક્તિ રહેતો હતો, જે અચાનક ગાયબ થઈ ગયો હતો અને દિશા સાલિયાનની બિલ્ડિંગનો ચોકીદાર પણ ગાયબ છે અને તેની સાથે સોસાયટીના રજિસ્ટરના પાના પણ ગાયબ છે. આરોપ છે કે દિશા સાલિયાન પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ કિસ્સો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને પીડાદાયક છે, તેથી મેયર કિશોરી પેડનેકરે દિશા સાલિયાનને તેના મૃત્યુ પછી પણ બદનામ કરનારાઓ સામે પગલાં લેવાની માંગ કરી છે.

જાણો શું છે મામલો?

નોંધનીય છે કે બોલિવૂડ એક્ટર સુશાંતના મૃત્યુના થોડા દિવસો પહેલા તેની પૂર્વ મેનેજર દિશા સલિયાનના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા હતા. તેનો મૃતદેહ તે મકાનની નીચેથી મળી આવ્યો હતો. એવું કહેવાય છે કે તેણે કથિત રીતે મલાડમાં એક બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. જ્યારે સુશાંતના મૃત્યુ પછી, લોકોએ દિશા સાથે તેના મૃત્યુના સંબંધ વિશે જાણવાનું શરૂ કર્યું. જો કે, દિશાની માતાએ પોતે આ સમાચારને નકારી કાઢ્યા હતા કે તેમની પુત્રીના મૃત્યુને સુશાંતના મૃત્યુ સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રના પાલઘરમાં 19 વર્ષની યુવતી પર દુષ્કર્મની ઘટના, બે લોકો પર લગાવ્યો આરોપ

Next Article