અમરાવતીના ઉમેશ કોલ્હે હત્યા કેસમાં કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI સાથે છે કનેક્શન, NIAનો મોટો ખુલાસો

|

Aug 07, 2022 | 6:25 PM

અમોલ કોલ્હે મર્ડર સાથે ઈસ્લામિક સંગઠન PFIના કનેક્શનને લઈને NIAની તપાસ ચાલી રહી છે. આ કેસમાં બે આરોપીઓને 12 ઓગસ્ટ સુધી NIAની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

અમરાવતીના ઉમેશ કોલ્હે હત્યા કેસમાં કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI સાથે છે કનેક્શન, NIAનો મોટો ખુલાસો
ઉમેશ કોલ્હે મર્ડર કેસ
Image Credit source: ફાઇલ ફોટો

Follow us on

અમરાવતીના ઉમેશ કોલ્હે હત્યા (Umesh Kolhe murder)કેસનું કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI સાથે કનેક્શન સામે આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી NIAએ આ ખુલાસો કર્યો છે. મૌલવી મુશ્ફિકનું કનેક્શન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા નામના કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળે છે. NIAએ હવે આ એંગલથી તપાસ આગળ વધારી છે કે કોલ્હે હત્યામાં આ સંગઠનની સંડોવણી કેટલી અને કેટલી હદે છે. નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા એક કેમિસ્ટની હત્યા કરવામાં આવી હતી.

બીજેપી નેતા અનિલ બોંડેએ એવો દાવો કર્યો હતો કે અમોલ કોલ્હેની હત્યા પહેલા તેમને નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા માટે ધમકીઓ મળી રહી હતી. ઉદયપુરના કન્હૈયાલાલને જે રીતે ચીરી નાખવામાં આવ્યા હતા તેવી જ રીતે છરી વડે તેની હત્યા કરવામાં આવી હતી. જો પોલીસે મામલો દબાવીને સત્ય ના કહ્યું હોત તો કોલ્હેની હત્યા બાદ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા રોકી શકાઈ હોત. અપક્ષ સાંસદ નવનીત રાણાએ કોંગ્રેસ નેતા યશોમતી ઠાકુર અને પોલીસ કમિશનર આરતી સિંહ પર પણ આરોપ લગાવ્યો હતો કે અમરાવતી પોલીસ નુપુર શર્માના સમર્થનને કારણે હત્યાનો એંગલ છુપાવી રહી છે અને હત્યાનું કારણ લૂંટને કહી રહી છે. આ પછી આ કેસ NIAને સોંપવામાં આવ્યો હતો.

PFI કનેક્શન અંગે NIAની તપાસ શરૂ

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

અમોલ કોલ્હે મર્ડર સાથે ઈસ્લામિક સંગઠન PFIના કનેક્શનને લઈને NIAની તપાસ ચાલી રહી છે. આ કેસમાં બે આરોપીઓને 12 ઓગસ્ટ સુધી NIAની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેશ કોલ્હેની હત્યાનો માસ્ટર માઈન્ડ ઈરફાન શેખ મૌલવી મુશ્ફિક અહેમદને પોતાનો આદર્શ માને છે. PFI સાથે મૌલવી મુશ્ફિકના સંબંધની વાત સામે આવી છે. અમોલ કોલ્હેની હત્યા મુશ્ફિકના કહેવા પર નૂપુર શર્માને સમર્થન કરતી પોસ્ટ ફોરવર્ડ કરવા બદલ કરવામાં આવી હતી.

કોણ છે મુશ્ફિક કોના ઈશારે NIAને કોલ્હેની હત્યાની શંકા?

મુશ્ફિક અહેમદ મૌલવી છે. અબ્દુલ અરબાઝ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર પણ છે. આ બંનેએ કોલ્હે હત્યા કેસના મુખ્ય સૂત્રધાર ઈરફાન ખાન અને અન્ય આરોપીઓને હત્યા બાદ છુપાવવામાં મદદ કરી હતી. NIAના નવા ખુલાસો અનુસાર, મુશ્ફિક કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI સાથે જોડાયેલો છે. હાલમાં NIA આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Published On - 6:25 pm, Sun, 7 August 22

Next Article