Delhi High Court : ઉદ્ધવ ઠાકરે,આદિત્ય ઠાકરે અને સંજય રાઉતની વધી શકે છે મુશ્કેલી , માનહાનિ કેસમાં હાઈકોર્ટે મોકલ્યું સમન્સ

|

Mar 28, 2023 | 3:48 PM

Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે મહાની કેસમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને સમન્સ જારી કર્યા છે. શિવસેનાના નેતા રાહુલ રમેશ શેવાળે દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં આ સમન્સ મોકલવામાં આવ્યું છે.

Delhi High Court : ઉદ્ધવ ઠાકરે,આદિત્ય ઠાકરે અને સંજય રાઉતની વધી શકે છે મુશ્કેલી , માનહાનિ કેસમાં હાઈકોર્ટે મોકલ્યું સમન્સ
Uddhav Thackeray, Aditya Thackeray

Follow us on

દિલ્હી હાઈકોર્ટે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેને માનહાનિના કેસમાં સમન્સ જાહેર કર્યા છે. એકનાથ શિંદે જૂથના નેતા રાહુલ રમેશ શેવાલેએ માનહાનિના કેસમાં કેસ દાખલ કર્યો છે. જેમાં આ સમન્સ જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે શિવસેનાના નેતા સંજય રાઉતને પણ સમન્સ મોકલ્યા છે. કોર્ટ હવે આ મામલે 17 એપ્રિલે સુનાવણી કરશે.

આ પણ વાંચો : G-20 Meeting: આજથી મુંબઈમાં G-20ની બેઠક શરૂ, ભારત અને વિદેશના મહેમાનો સાથે ત્રણ દિવસ સુધી બેઠકનો આ રાઉન્ડ ચાલશે

શું છે સમગ્ર બાબત

ભૂતકાળમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના મુખપત્ર ‘સામના’માં એક લેખ લખવામાં આવ્યો હતો. આ લેખમાં શિવસેના (શિંદે જૂથ)ના નેતા રાહુલ રમેશ શેવાલેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાહુલ રમેશ શેવાળેએ આ લેખને લઈને ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વિરુદ્ધ સિવિલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શિવસેનાનો આરોપ છે કે આ લેખથી તેની છબીને નુકસાન થયું છે. સામના લેખની હેડલાઇન જેના પર રાહુલ રમેશ શેવાળેએ કેસ દાખલ કર્યો છે,રાહુલ શેવાળેની કરાચીમાં હોટલ, રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. શેવાલેનો આરોપ છે કે તેમની વિરુદ્ધ પાયાવિહોણા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા અને તેમની સામાજિક છબીને નુકસાન થયું.

શેવાલે બળાત્કારના કેસમાં આરોપી છે

જણાવી દઈએ કે શિવસેના નેતા રાહુલ શેવાલે પણ બળાત્કાર કેસમાં આરોપી છે અને દુબઈમાં કામ કરતી એક ફેશન ડિઝાઇનરે શેવાલે પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે શેવાલે વર્ષ 2020થી લગ્નના બહાને તેનું જાતીય શોષણ કરી રહ્યો છે.

પીડિતાએ આ મામલાની ફરિયાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પણ કરી છે. શેવાલે મુંબઈ દક્ષિણ મધ્યથી સાંસદ છે અને ચાર વખત BMCની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. શેવાલે મહારાષ્ટ્રના રાજકારણમાં જાણીતું નામ છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article