
2 કિલો 31 ગ્રામ વજનના ચાંદીથી બનેલા કુલ 13 ઘરેણા છે.આ તમામ ઘરેણા ગોલ્ડ પ્લેટેડ છે ગળામાં સમૃદ્ધ હાર (3 layered)કડા,બાજુ બંધ,મોટી બાલી,વીંટી

લાલબાગચા રાજાનો દરબાર પ્રથમ વખત 1934માં યોજાયો હતો. ત્યારથી રાજાના દરબારમાં ભક્તોની શ્રદ્ધા વધી રહી છે. હવે તેમના દરબારમાં દર વર્ષે ભક્તોની સંખ્યા વધે છે. નેતાઓ, અભિનેતાઓ, મંત્રીઓ અને ઉદ્યોગપતિઓ બધા ભગવાન ગણેશના દરબારમાં માથું નમાવવા પહોંચે છે. લાલબાગના રાજાના દર્શન ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે

ઉત્સવો કોરોના માટે સુપર સ્પ્રેડર ન બને તે માટે BMC એ કવાયત શરૂ કરી છે.કોરોના કાળમાં બેદરકાર રહીને તહેવારની ઉજવણી કરવી એ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. પરંતુ આવું ન થાય તે માટે BMC એ ગણેશ ઉત્સવ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ઘરેલુ ગણેશ મૂર્તિના Ganesh idol) આગમન અને વિસર્જન યાત્રામાં પાંચથી વધુ લોકોએ ભેગા ન થવું જોઈએ.

જાહેર ગણેશ મૂર્તિઓના આગમન અને વિસર્જનમાં માત્ર 10 લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે અને તેમને રસીના બંને ડોઝ મેળવેલા હોવા જોઈએ.ઘરમાં રાખવામાં આવેલી ગણેશ મૂર્તિની ઉંચાઈ 2 ફૂટથી વધુ ન હોવી જોઈએ,

જ્યારે જાહેર મૂર્તિઓની ઉંચાઈ 4 ફૂટથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત પંડાલની મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ગણપતિ મંડળોને ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.
Published On - 3:47 pm, Thu, 9 September 21