મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર શરદ પવારનું નિવેદન, આંતરિક મતભેદ દૂર કરવાની જવાબદારી શિવસેનાની

|

Jun 21, 2022 | 5:44 PM

આ ઉપરાંત શરદ પવારને જણાવ્યું કે, આ સ્થિતિનો કોઈને કોઈ રસ્તો નીકળશે.ઉપરાંત તેમણે આંતરિક મતભેદો ઉકેલવાની શિવસેનાની જવાબદારી ગણાવી છે.તેમજ ઉદ્ધવ સરકારના નેતૃત્વમાં જ સરકાર ચાલુ રહેશે તેવુ જણાવ્યુ છે.

મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર શરદ પવારનું નિવેદન, આંતરિક મતભેદ દૂર કરવાની જવાબદારી શિવસેનાની
NCP Chief Sharad Pawar
Image Credit source: File Image

Follow us on

મહા વિકાસ આઘાડી સરકારના શિલ્પકાર ગણાતા શરદ પવારે (Sharad Pawar Press Conference) મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે (21 જૂન, મંગળવાર) દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમની પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે એકનાથ શિંદે (Eknath Shinde Shiv Sena) અને તેમના સમર્થક ધારાસભ્યોનો બળવો શિવસેનાનો આંતરિક મામલો છે. આના પર એક પત્રકારે શરદ પવારને પૂછ્યું કે, પરંતુ સંકટનો સમય તો મહા વિકાસ અઘાડી સરકાર (Maharashtra Political Crisis) પર છે. આના પર શરદ પવારે કહ્યું, ‘મને મહા વિકાસ અઘાડી સરકારમાં કોઈ મોટું સંકટ દેખાતું નથી. શિવસેના ટૂંક સમયમાં આ સંકટનો ઉકેલ શોધી કાઢશે. મને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પૂરો વિશ્વાસ છે. જો જરૂર પડશે તો અમે શિવસેનાને આ સંકટમાંથી બહાર કાઢવા માટે સાથ આપવા તૈયાર છીએ.

શરદ પવારને એક પત્રકારે પૂછ્યું હતું કે એકનાથ શિંદેએ ફરી એકવાર શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આના પર શરદ પવારે કહ્યું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી.

‘એનસીપી અને ભાજપનું એકસાથે આવવું એ અશક્ય પ્રશ્ન’

એક પત્રકારે શરદ પવારને પૂછ્યું કે જો ભાજપ તરફથી ઓફર આવે તો શું એનસીપી અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી શકે છે? તેના પર શરદ પવારે કહ્યું કે તમે શું વાત કરો છો. કેટલાક સમજદાર પ્રશ્નો પૂછો. એટલે કે શરદ પવાર કોઈપણ સંજોગોમાં ભાજપ સાથે સત્તાની કોઈપણ ભાગીદારી કરશે નહીં.

‘મુખ્યમંત્રી કોણ બને તે શિવસેનાએ નક્કી કરવું જોઈએ’

શરદ પવારે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ પર કહ્યું કે, મુખ્યમંત્રી કોણ બને, તે ગઠબંધનની શરતો મુજબ શિવસેનાએ નક્કી કરવાનું છે. અમારા ક્વોટામાં નાયબ મુખ્યમંત્રી છે. તેથી આ સવાલનો જવાબ માત્ર શિવસેના જ આપી શકે છે. પરંતુ હાલમાં મને આવી કોઈ માંગની જાણકારી નથી.

શિવસેનામાં બળવો, મુશ્કેલીમાં મહા વિકાસ આઘાડી

શરદ પવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષથી મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારને તોડી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. શરદ પવારે કહ્યું કે આજે તેઓ દિલ્હીથી મુંબઈ જશે અને મહા વિકાસ આઘાડીના નેતાઓ સાથે આ અચાનક સંકટને દૂર કરવા માટે બેઠક કરશે અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે.

Published On - 2:11 pm, Tue, 21 June 22

Next Article