મુંબઈ: પહેલા NCB વિભાગીય તપાસ, પછી CBI તપાસ અને હવે સમીર વાનખેડે વધુ એક તપાસ હેઠળ આવી રહ્યા છે. આર્યન ખાન પર આરોપ, અપ્રમાણસર સંપત્તિના આરોપ, ભ્રષ્ટાચારના અન્ય ઘણા મામલા, આ રીતે સમીર વાનખેડેની મુશ્કેલીઓ હજુ ઓછી થતી દેખાતી નથી. શનિવારે સીબીઆઈએ વાનખેડેની 5 કલાક પૂછપરછ કરી હતી. હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) પણ તેની તપાસ હાથ ધરવા માટે તૈયારી કરી રહ્યું છે. એટલે કે વાનખેડે માટે અત્યારે સ્થિતિ એવી છેકે આ રાતની કોઈ સવાર નથી. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
હાલમાં, બોમ્બે હાઈકોર્ટે સમીર વાનખેડેને 22 મે સુધી ધરપકડમાંથી રાહત આપી છે અને સીબીઆઈ તપાસમાં સહકાર આપવા કહ્યું છે. સીબીઆઈની તપાસ દરમિયાન જ કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ વિભાગની તપાસ શરૂ થાય તેવી શક્યતા છે. વાનખેડે આ વિભાગ હેઠળ આઈઆરએસ અધિકારી તરીકે કામ કરે છે. NCBની SIT દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટ CBICને આપવામાં આવ્યો છે.
સીબીઆઈએ વાનખેડે પર ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યા બાદ આ રિપોર્ટના આધારે સીબીઆઈસી દ્વારા વધુ એક વિભાગીય તપાસ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે.સમીર વાનખેડેને પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે તેવા સમાચાર સૂત્રોના હવાલેથી સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો : G-20 in Srinagar: G-20 બેઠક પહેલા કાશ્મીરમાં સેના એલર્ટ, અધિકારીઓ પહોંચ્યા LOC, NIAએ 15 સ્થળોએ પાડ્યા દરોડા
સમીર વાનખેડે NCBના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા ત્યારે તેણે મુંબઈથી ગોવા જઈ રહેલા કાર્ડેલિયા ક્રૂઝ શિપ પર દરોડો પાડ્યો હતો. એક્ટર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ વિરુદ્ધની આ કાર્યવાહીમાં ઝડપાયો હતો. આર્યન ખાન ડ્રગ્સ રાખવા બદલ 25 દિવસ સુધી જેલમાં રહ્યો હતો. સમીર ખાને આર્યનને છોડાવવા માટે શાહરૂખ ખાન પાસેથી 25 કરોડની લાંચ માંગી હોવાનો આરોપ છે. NCBના વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે તપાસ કરી હતી. આ તપાસ બાદ આર્યન ખાન લાંચ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.