મહારાષ્ટ્ર સરકાર કરી શકે છે મોટી કાર્યવાહી, ઔરંગાબાદ સાયબર પોલીસે રિપોર્ટ સોંપ્યો, રાજ ઠાકરેની ધરપકડની અટકળો તેજ

રાજ ઠાકરે (Raj Thackeray MNS) ની મુશ્કેલીમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. સાયબર પોલીસની ઔરંગાબાદ સભા સંબંધિત ઓડિયો-વિડિયોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ સંદર્ભે આજે ગૃહમંત્રી રાજ્યના ડીજીપી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી રહ્યા છે.

મહારાષ્ટ્ર સરકાર કરી શકે છે મોટી કાર્યવાહી, ઔરંગાબાદ સાયબર પોલીસે રિપોર્ટ સોંપ્યો, રાજ ઠાકરેની ધરપકડની અટકળો તેજ
MNS Chief Raj Thackeray
| Edited By: | Updated on: May 03, 2022 | 12:58 PM

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેની (Raj Thackeray MNS) મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ઔરંગાબાદમાં રવિવાર (1 મે)ના રોજ યોજાયેલી રેલીમાં તેમણે ફરી એકવાર આજની તારીખનું અલ્ટીમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર (Loudspeaker) હટાવવા જોઈએ. નહિંતર, 4 તારીખે, MNS કાર્યકર્તાઓ મસ્જિદોની સામે ડબલ અવાજમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે. તેમણે આ પડકાર સીધો મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારને આપ્યો હતો. જેના પર રાજ્યમાં તણાવ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. અનેક પ્રતિક્રિયાઓ સામે આવી છે.

હવે મહા વિકાસ આઘાડી સરકાર દ્વારા જે પગલા લેવામાં આવી રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર રાજ ઠાકરે સામે કોઈ કડક કાર્યવાહી કરી શકે છે. ઔરંગાબાદ પોલીસના સાયબર સેલે પાંચ કલાક સુધી રેલી સાથે જોડાયેલા રાજ ઠાકરેના ભાષણના ઓડિયો-વિડિયોની તપાસ કરી. આ પછી વિગતવાર અહેવાલ તૈયાર કરીને ડીજીપી રજની સેઠને સોંપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજ ઠાકરેએ રેલીની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. ભાષણમાં તંગદિલી સર્જવાની વાત ચાલી, 15 હજારથી વધુ ભીડ એકઠી થઈ, અવાજનું સ્તર પણ પ્રમાણભૂત સ્તરથી ઉપર નોંધાયું. આ દરમિયાન, સાંગલીમાં રાજ ઠાકરે સામે 10 વર્ષ જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

ગૃહમંત્રીની આજે DGP અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલ આજે (3 મે, મંગળવાર) રાજ્યના ડીજીપી રજની સેઠ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે. આ દરમિયાન મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરતા રાજ ઠાકરેની પાર્ટી મનસેના પદાધિકારીઓને મુંબઈની બહાર જવાનો આદેશ આપ્યો છે. તેમને 15 દિવસ માટે બહાર જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઓવૈસીની પાર્ટીનો પડકાર, જો રાજ ઠાકરે વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો તેમના કરતા પણ મોટી સભા થશે

નવનીત રાણાનો ઉલ્લેખ કરતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ મહિલા પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું સીધું અલ્ટીમેટમ આપ્યું, તેમ છતાં તેઓ મુખ્યમંત્રીના ભાઈ હોવાને કારણે તેમની સામે કાર્યવાહી નથી થઈ રહી? તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરી જેલમાં ધકેલી દેવા જોઈએ. આના કારણે તેમનો મગજ શાંત થશે.

આજે ઔરંગાબાદના AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે પણ માગ ઉઠાવી હતી કે રાજ ઠાકરે સામે કાર્યવાહી થવી જોઈએ. કાયદા સમક્ષ બધા સમાન છે, જો આવું નહીં થાય તો તેઓ ઔરંગાબાદના એ જ મેદાનમાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરશે અને રાજ ઠાકરે કરતાં વધુ આક્રમક રીતે ભાષણ આપશે. ત્યારે પોલીસને તેમની સામે કાર્યવાહી કરવાનો કોઈ અધિકાર રહેશે નહીં.

આ પણ વાંચો :  Maharashtra: નવાબ મલિકના જામીનનો EDએ કર્યો વિરોધ, PMLA કોર્ટે માંગ્યો આરોગ્ય રિપોર્ટ