Pakistan Terrorist Module: ખુલાસો! જાન મોહમ્મદનું અંડરવર્લ્ડ કનેક્શન, દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ માટે કરે છે કામ

|

Sep 15, 2021 | 8:07 PM

કોર્ટે મંગળવારે દિલ્હીમાં પકડાયેલા 6 આતંકવાદીઓને આજે 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. આતંકવાદીઓની ધરપકડ બાદથી દિલ્હી પોલીસ અન્ય રાજ્યોની પોલીસ સાથે મળીને સતત અન્ય આરોપીઓની ધરપકડમાં લાગેલી છે.

Pakistan Terrorist Module: ખુલાસો! જાન મોહમ્મદનું અંડરવર્લ્ડ કનેક્શન, દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ માટે કરે છે કામ

Follow us on

દિલ્હી (Delhi)માં પકડાયેલા છ આતંકવાદીઓ (Pakistan Terrorist Module) પછી હવે ક્રાઈમ બ્રાન્ચ અન્ય રાજ્યોની પોલીસ સાથે મળીને આ કેસમાં અન્ય આરોપીઓને પણ પકડી રહી છે.

 

હવે મુંબઈ એટીએસએ (Mumbai ATS) તે વ્યક્તિની અટકાયત કરી છે જે જાન મોહમ્મદની ટિકિટ બુક કરતો હતો. એટીએસ જાણવા માંગે છે કે જાન મોહમ્મદે તેની પાસે કયા સ્થળોએ જવા માટે ટિકિટ બુક કરાવી હતી. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને યુપી એટીએસ સંયુક્ત ઓપરેશનમાં આરોપી હુમેદને શોધી રહ્યા છે. હુમેદ ઓસામાનો સંબંધી હોવાનું કહેવાય છે. હુમેદના સાસરિયા કાનપુરમાં છે. ATSની ટીમે કાનપુરમાં ધામા નાખ્યા છે. આ સાથે શહેરમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જાન મોહમ્મદનું અંડરવર્લ્ડ કનેક્શન

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર જાન મોહમ્મદ શેખ ઉર્ફે સમીર કાલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે. જાન મોહમ્મદ અંડરવર્લ્ડના એજન્ટ તરીકે કામ કરે છે. તેની ધરપકડ પહેલા શેખે તેના મોબાઈલ પરનો તમામ ડેટા ડિલીટ કરી નાખ્યો હતો.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર જાન મોહમ્મદ દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમના સીધા સંપર્કમાં હતો. આ માટે તે વોટ્સએપ કોલિંગ કરતો હતો અને અનીસના કહેવા પર તે બાકીના આતંકવાદીઓને આઈડી અને લોજિસ્ટિક્સ આપવા રાજી થયો હતો. તેનો ફોન સાયબર સેલમાં મોકલવામાં આવશે, જેથી ડિલીટ કરી નાખવામાં આવેલ ડેટા ફરી મેળવી શકાય.

 

આવા લોકોને ખત્મ કરી દેવા જોઈએ: દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે દેશમાં અને ખાસ કરીને મુંબઈમાં આતંકવાદીઓની ધરપકડ ખતરાની ઘંટડી છે. આવા લોકોને શોધવા ખૂબ જ જરૂરી છે કારણ કે હવે અમે નથી આવી ઘટનાઓ બનવા દેવા માંગતા નથી. આવા લોકોને ખત્મ કરી દેવા જોઈએ.

 

તમામ આતંકવાદીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા 

દિલ્હીની એક કોર્ટે બાકીના બે આતંકીઓ, ઝેશાન કમર અમીર જાવેદને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. અગાઉ ચાર આરોપી જાન મોહમ્મદ શેખ, ઓસામા, મૂળચંદ અને મોહમ્મદ અબુ બકરને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આતંકવાદીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

 

પકડાયેલા ચાર આતંકીઓ, જાન મોહમ્મદ શેખ, ઓસામા, મૂળચંદ અને મોહમ્મદ મુશીર હવે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ 2 આતંકવાદીઓ પાકિસ્તાનથી તાલીમ લઈને આવ્યા હતા. આ સંધિગ્ધોની યુપી, મહારાષ્ટ્ર અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

 

ઓસામા અને ઝીશાન મસ્કતમાં મળ્યા હતા

ઓસામા સામી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા 6 આતંકીઓમાંનો એક છે, જે ડી -71, ગ્રાઉન્ડ ફ્લોર અને અબુ ફઝલ એન્ક્લેવ ભાગ -1, ઓખલા, જામિયા નગરનો રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે અહીં ભાડાના મકાનમાં રહે છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી પૂછપરછમાં ઓસામાએ જણાવ્યું છે કે તે 22 એપ્રિલ 2021ના ​​રોજ લખનૌની ફ્લાઈટ દ્વારા મસ્કત પહોંચ્યો હતો. જ્યાં તે ઝીશાનને મળ્યો.

 

બંને પ્રયાગરાજથી પાકિસ્તાનમાં ટ્રેનિંગ માટે આવ્યા હતા અને બંગાળી ભાષી લોકો પણ તેમની સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે આ પછી આ બધાને એક જૂથમાં વહેંચી દેવામાં આવ્યા, જેમાં ઝીશાન અને ઓસામાને એક જૂથમાં રાખવામાં આવ્યા.

 

આ પણ વાંચો :  Maharashtra : સાકીનાકા રેપ કેસ બાદ પોલીસનો મહત્વનો નિર્ણય , મુંબઈના દરેક પોલીસ સ્ટેશનમાં ‘નિર્ભયા સ્કવોડ’ તૈનાત કરવામાં આવશે

Next Article