Mumbai Airport: ફ્લાઇટમાં બેસાડીને તરત ઉતારી દીધા, રાતથી મુંબઈ એરપોર્ટ પર ફસાયેલા રહ્યા 300 મુસાફરો એ મચાવ્યો હોબાળો

Mumbai Airport:મુસાફરોને પ્લેનની અંદર બેસવા માટે પણ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, ત્યારે જ પ્લેનની અંદર કેટલીક ટેકનિકલ ખામી જોવા મળી હતી. આ પછી તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા.

Mumbai Airport: ફ્લાઇટમાં બેસાડીને તરત ઉતારી દીધા, રાતથી મુંબઈ એરપોર્ટ પર ફસાયેલા રહ્યા 300 મુસાફરો એ મચાવ્યો હોબાળો
Mumbai Airport
| Edited By: | Updated on: May 26, 2023 | 10:14 AM

VIETJET એર ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના કારણે લગભગ 300 મુસાફરો રાતથી મુંબઈ એરપોર્ટ પર અટવાયા છે. પ્લેન મુંબઈથી વિયેતનામ જવાનું હતું. ફ્લાઇટ 11.30 કલાકે જ એરપોર્ટ પરથી ઉપડવાની હતી. પરંતુ, વિમાન હજુ પણ એરપોર્ટ પર જ છે. ફ્લાઈટ મોડી પડતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.

Maharashtra: મુંબઈથી નવી મુંબઈ હવે ફક્ત 20 મિનિટમાં જ જઈ શકાશે, દરિયા પર બનેલા દેશના સૌથી લાંબા પુલની CM અને DCMએ લીધી મુલાકાત

કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન ટેકઓફ થવાનું હતું. મુસાફરોને પ્લેનની અંદર બેસવા માટે પણ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, ત્યારે જ પ્લેનની અંદર કેટલીક ટેકનિકલ ખામી જોવા મળી હતી. આ પછી તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. મુસાફરોમાં ઘણા વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. મુસાફરોના હોબાળાને કારણે એરપોર્ટ પર થોડો સમય અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

ફ્લાઇટમાં વિલંબથી મુસાફરોમાં નારાજગી

જોકે, એરપોર્ટ પર તૈનાત કર્મચારીઓ મુસાફરોને સમજાવતા જોવા મળ્યા હતા. પ્લેનમાં કઈ ટેકનિકલ ખામી સર્જાઈ છે, આ અંગેની માહિતી હજુ સામે આવી નથી. VIETJETના અધિકારીઓ પ્લેનની અંદર રહેલી ટેકનિકલ ખામીઓની તપાસમાં લાગેલા છે. યાત્રીઓના કહેવા મુજબ તેમને વિયેતનામ જવાનું હતું. આ માટે તે પહેલાથી જ એરપોર્ટ આવી ગયો હતો. તેને આ અંગે અગાઉથી કોઈ જાણકારી નહોતી. કહેવામાં આવ્યું હતું કે ફ્લાઇટ ટૂંક સમયમાં ટેકઓફ થશે. પરંતુ, હજુ સુધી કોઈ અપડેટ નથી.

એર ઈન્ડિયાની ફ્લાઈટ પણ મોડી પડી હતી

આ પહેલા ગુરુવારે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જ્યાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઈટ દિલ્હીથી બેંગકોક જઈ રહી હતી. મુસાફરોએ ફરિયાદ કરી હતી કે તેમને લાંબા સમય સુધી પ્લેનની અંદર બેસાડવામાં આવ્યા હતા. પરંતુ, તેમને ખાવાનું પણ આપવામાં આવ્યું ન હતું. કેટલાક મુસાફરોએ ટ્વિટર પર આ અંગે ફરિયાદ પણ કરી છે. જોકે, આ સમગ્ર ઘટના અંગે એર ઈન્ડિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો