Maharashtra: સ્પષ્ટ નીતિના અભાવે ડુંગળીની નિકાસ અટકી, બજારમાં ડુંગળીની આવક વધી, ખેડૂતોને નથી મળી રહ્યા ભાવ

મહારાષ્ટ્રની ડુંગળીની ગુણવત્તા સારી હોવાને કારણે તે આંતરરાષ્ટ્રીય બજારમાં થોડી મોંઘી છે. ગલ્ફ દેશોમાં તેની સારી માગ છે. તેથી જો નિકાસને મંજૂરી આપવામાં આવે તો ખેડૂતોને સારા ભાવ મળવાની આશા છે.

Maharashtra: સ્પષ્ટ નીતિના અભાવે ડુંગળીની નિકાસ અટકી, બજારમાં ડુંગળીની આવક વધી, ખેડૂતોને નથી મળી રહ્યા ભાવ
Onion Price - Symbolic Image
| Edited By: | Updated on: Feb 06, 2022 | 10:55 PM

બજારમાં લાલ ડુંગળીની આવક વધી છે, પરંતુ સરકાર દ્વારા ડુંગળીની નિકાસને લઈને કોઈ સ્પષ્ટ નીતિ નક્કી કરવામાં આવી રહી નથી. જેના કારણે બજારમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. ડુંગળીના ખેડૂતો આ નુકસાનનો (Onion Farmers) સામનો કરી રહ્યા છે. સોલાપુર બજાર સમિતિમાં 1200 થી વધુ ટ્રકો આવી છે. છૂટક અને જથ્થાબંધ બજારોમાં લાલ ડુંગળીની આવક ઝડપથી વધી છે. પરંતુ હાલમાં ડુંગળીની નિકાસને મંજૂરી નથી. જેના કારણે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ કારણે મહારાષ્ટ્રમાં ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ નથી મળી રહ્યા. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોની માંગ છે કે ડુંગળીની નિકાસની મંજૂરી આપવામાં આવે જેથી કરીને તેમને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળે.

મહારાષ્ટ્રની ડુંગળીની ગુણવત્તા સારી હોવાને કારણે તે આંતરરાષ્ટ્રીય બજારમાં થોડી મોંઘી છે. ગલ્ફ દેશોમાં તેની સારી માગ છે. તેથી જો નિકાસને મંજૂરી આપવામાં આવે તો ખેડૂતોને સારા ભાવ મળવાની આશા છે.

ગયા વર્ષની સરખામણીમાં ડુંગળીમાં 25 થી 30 ટકા વધુ વધારો થયો

ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ખેડૂતોએ 25 થી 30 ટકા વધુ ઉનાળુ ડુંગળીનું ઉત્પાદન કર્યું છે. ઉનાળામાં ઉગાડવામાં આવતી ડુંગળી પુણે અને નાસિકના ખેડૂતો દ્વારા મોટી માત્રામાં તૈયાર કરવામાં આવે છે. ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદને કારણે ડુંગળીના નવા પાકને નુકસાન થયું હતું. આ પછી જે ડુંગળી ઉગાડવામાં આવી હતી તેનો પાક સારો આવ્યો હતો. જેના કારણે બજારમાં નવી ડુંગળીની આવક ઝડપથી વધી છે. હાલ બજારોમાં ડુંગળીનો ભરપૂર જથ્થો છે.

ગયા વર્ષની સરખામણીમાં ડુંગળીનો ભાવ 125 રૂપિયાથી 150 રૂપિયા ઓછો

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ડુંગળીને 10 કિલો દીઠ 350 રૂપિયાનો ભાવ મળ્યો હતો. હાલમાં છૂટક બજારમાં એક કિલો ડુંગળી 20 થી 35 રૂપિયામાં મળી રહી છે. આ વખતે સારી ડુંગળીને 200 થી 230 રૂપિયા પ્રતિ દસ કિલોના ભાવ મળ્યા છે. મધ્યમ કક્ષાની ડુંગળી 150 થી 200 રૂપિયા પ્રતિ દસ કિલોના ભાવે મળી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ ઘણું ઓછું છે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ખેડૂતો ભારતમાં સૌથી વધુ ડુંગળી ઉગાડે છે અને નાસિક નજીક લાસલગાંવમાં ડુંગળીનું સૌથી મોટું બજાર છે. ડુંગળી ઉત્પાદક ખેડૂતો છેલ્લા ઘણા મહિનાઓથી પરેશાન છે. કમોસમી વરસાદને કારણે ડુંગળી સડી જાય છે. ક્યારેક ડુંગળીની અછતને પહોંચી વળવા ડુંગળીની આયાત કરવી પડે છે. ત્યારે બજારમાં ડુંગળીની ઉપલબ્ધતાના કારણે ખેડૂતોને તૈયાર પાકના યોગ્ય ભાવ મળતા નથી. જ્યારે પાક વધુ હોય છે અને બજારમાં તેની માગ હોય છે, ત્યારે નિકાસ પર પ્રતિબંધ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરે છે.

 

આ પણ વાંચો :  UP Assembly Election: ‘EDના ડરથી માયાવતી ઠંડી પડી ગઈ છે, પરંતુ અખિલેશ છે જીતના રથ પર સવાર’, સંજય રાઉતે કર્યો ફરી ભાજપ પર પ્રહાર

Follow Us