મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 7862 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના લીધે રાજ્યમાં 226 લોકોના મોત થયા છે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 5,336 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 9,893 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 875 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2,38,461 થઈ ગઈ છે. આ કેસમાંથી 1,32,625 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભારતમાં પણ કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 26,506 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં ભારતમાં 475 લોકોનો જીવ ગયો છે. આમ દેશમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 7,93,802 થઈ ગઈ છે. આ કેસમાં 2,76,685 વ્યક્તિઓ કોરોના વાઈરસના સારવાર લઈ રહ્યાં છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી 4,95,513 લોકો સ્વસ્થ થયા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 3:55 pm, Fri, 10 July 20