Water Cut in Mumbai: સોમવાર-મંગળવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં નહીં આવે પાણી, જાણો ક્યાં થશે પાણી કાપ

|

Mar 11, 2022 | 7:13 PM

સમારકામ સોમવારે શરૂ થશે અને મંગળવાર બપોર સુધી ચાલશે. આ દરમિયાન, પાલિકાના જી/દક્ષિણ અને જી/ઉત્તર વિભાગોના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થશે. આ વિસ્તારોના ઘરોમાં પાણી નહીં આવે. જી/દક્ષિણ વિભાગના કેટલાક વિસ્તારોમાં ઓછા ફોર્સ સાથે પાણી આવશે.

Water Cut in Mumbai: સોમવાર-મંગળવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં નહીં આવે પાણી, જાણો ક્યાં થશે પાણી કાપ
water cut in Mumbai

Follow us on

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) વિસ્તારમાં રહેતા લોકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. સોમવાર અને મંગળવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો  (Water Supply)  પ્રભાવિત થશે. એટલે કે 14 અને 15 માર્ચે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી નહીં (Water Cut in Mumbai) આવે. તેથી જ મુંબઈકરોને આ બે દિવસ પાણી બચાવવા અને ઓછો ખર્ચ કરવાની સલાહ આપવામાં આવે છે. સમારકામના કામને કારણે મુંબઈમાં વિવિધ સ્થળોએ પાણી કાપ મૂકવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વતી, લોઅર પરેલના સેનાપતિ બાપટ માર્ગ પર ગાવડે ચોક પાસે 1450 મીમી વ્યાસવાળા તાનસાને પૂર્વ અને પશ્ચિમ મુખ્ય તળાવમાંથી આવતા પાણીમાં લીકેજની ફરિયાદને દૂર કરવા માટે પૂર્ણ કરવું પડશે.

સમારકામ સોમવારે શરૂ થશે અને મંગળવાર બપોર સુધી ચાલશે. આ દરમિયાન, પાલિકાના જી/દક્ષિણ અને જી/ઉત્તર વિભાગોના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થશે. આ વિસ્તારોના ઘરોમાં પાણી નહીં આવે. જી/દક્ષિણ વિભાગના કેટલાક વિસ્તારોમાં ઓછા ફોર્સ સાથે પાણી આવશે.

આ વિસ્તારોને થશે અસર, નળમાં નહીં આવે જળ

દક્ષિણ વિભાગના દેલાઈ રોડ B.D.D, સમગ્ર પ્રભાદેવીનો વિસ્તાર, જનતા રેસિડેન્સી, સમગ્ર લોઅર પરેલ, પાંડુરંગ બુધકર માર્ગ, સેનાપતિ બાપટ માર્ગ, ગણપતરાવ કદમ માર્ગ, N.M. જોશી માર્ગ, વીર સાવરકર માર્ગ, S.O.S. અમૃતવાર માર્ગ પાણી કાપથી પ્રભાવિત રહેશે. સોમવારે બપોરે 2.30 થી 3.30 વાગ્યા સુધી અહીં પાણી નહીં આવે.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

બીજી તરફ ઉત્તર વિભાગનો સમગ્ર પ્રભાદેવી વિસ્તાર, સેનાપતિ બાપટ માર્ગ, વીર સાવરકર માર્ગ, ગોખલે માર્ગ, એલજે માર્ગ, સયાની માર્ગ, ભવાની શંકર માર્ગ, સેના ભવન વિસ્તાર, મોરી માર્ગ, ટીએચ કટારિયા માર્ગ, કાપડ બજાર. સમગ્ર માહિમ (પશ્ચિમ) વિભાગ, માટુંગા (પશ્ચિમ) વિભાગ, દાદર (પશ્ચિમ) વિભાગને પણ પાણી નહીં મળે.

પાણી બચાવીને રાખો, BMCએ કરી અપીલ

દક્ષિણ વિભાગનો ના. મ. જોશી માર્ગ, દિલાઈ રોડ બી. ડી. ડી., સખારામ બાલા પવાર પામાર્ગ, મહાદેવ પાલવ માર્ગમાં મંગળવારે પાણી નહીં આવે. તેવી જ રીતે જી/દક્ષિણના ધોબીઘાટ, સાત રસ્તા વિસ્તારમાં ઓછા ફોર્સથી પાણી આવશે. આવી સ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ નાગરિકોને સહકાર આપવાની અપીલ કરી છે અને પાણી બચાવવા માટે કહ્યું છે.

 

 

આ પણ વાંચો :  Shilpa Shetty In Trouble: અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફરી મુશ્કેલીમાં ફસાઈ, પરિવાર પર છેતરપિંડીનો આરોપ લાગ્યો

Next Article