Mumbai Corona: મુંબઈમાં લોકડાઉનથી બચવું હોય તો સુપર સ્પ્રેડર ન બનો, કોરોના સંકટનો કડકાઈથી સામનો કરવાનો મેયરે આપ્યો સંકેત

|

Jan 04, 2022 | 6:59 PM

કિશોરી પેડનેકરે કહ્યું કે, 'જો લોકડાઉનની ન જોઈતુ હોય તો નિયમોનું પાલન કરો, માસ્ક લગાવો, ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. જે દિવસે શહેર 20 હજારથી વધુનો આંકડો વટાવવાનું શરૂ કરશે, ત્યારે શહેરમાં લોકડાઉન અથવા મિની-લોકડાઉન લાગુ કરવાની જરૂર પડશે.

Mumbai Corona: મુંબઈમાં લોકડાઉનથી બચવું હોય તો સુપર સ્પ્રેડર ન બનો, કોરોના સંકટનો કડકાઈથી સામનો કરવાનો મેયરે આપ્યો સંકેત
Mumbai Mayor Kishori Pednekar

Follow us on

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Mumbai Mayor Kishori Pednekar) વધતા કોરોના સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરી છે. આજે (4 નવેમ્બર, મંગળવાર) પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું, ‘મુંબઈમાં કોરોનાના વધતા જતા કેસોને (Corona Cases) ધ્યાનમાં રાખીને શાળા બંધ કરવાનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવ્યો છે. લોકોએ ભીડથી બચવું જોઈએ, મુખ્યમંત્રી આ વારંવાર કહી રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવાના અભિયાનમાં તમામ રાજકીય પક્ષોએ સરકારની સાથે આવવું જોઈએ. લગ્ન – પ્રસંગમાં જવાનું ટાળવું જોઈએ. જે નિયમો બનાવવામાં આવ્યા છે, લોકોએ તે પ્રમાણે લગ્ન – પ્રસંગનું આયોજન કરવું જોઈએ.

કિશોરી પેડનેકરે કહ્યું કે, ‘જો લોકડાઉન ન જોઈતું હોય, તો નિયમોનું પાલન કરો, માસ્ક લગાવો, ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. જે દિવસે શહેર 20 હજારથી વધુનો આંકડો પાર કરવાનું શરૂ કરશે, તે દિવસે શહેરમાં લોકડાઉન અથવા મિની-લોકડાઉન લાગુ કરવાની જરૂર પડશે. અમે એ પણ નિર્ણય લીધો છે કે જ્યાં 20 ટકાથી વધુ દર્દીઓ જોવા મળશે તે બિલ્ડિંગને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવશે.

‘કોરોના અને ઓમિક્રોનના વધતા સંક્રમણથી ડરશો નહીં, નિયમોનું ચુસ્તપણે પાલન કરો’

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મુંબઈના મેયરે કહ્યું, ‘કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ત્રીજી લહેરને રોકવાની તૈયારી કરી રહી છે. લોકો તેનાથી ડરે નહી. અમે બીજી લહેરને પણ હરાવ્યું. લોકોએ રસી લેવી જોઈએ, માસ્ક લગાવવું જોઈએ, ભીડમાં ન જવું જોઈએ. આ રીતે આપણે કોરોનાને હરાવી શકીશું. આપણે ઓમિક્રોન અને કોરોના વાયરસ સામે લડી રહ્યા છીએ, લોકોએ આ સમજવું જોઈએ અને ભીડવાળા વિસ્તારોને ટાળવું જોઈએ. કોઈને લોકડાઉન નથી જોઈતું, પરંતુ આપણે બધાએ આ સમજવું પડશે અને ભીડથી બચવું પડશે. બધા લોકોએ આ સમજવું પડશે, પછી તે નેતા હોય કે સામાન્ય લોકો. લોકોએ જાહેર સ્થળોએ ભીડ ઓછી કરવી પડશે. હું પોતે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી રહ્યો છું. બાળકોને રસી લેવા માટે માતા-પિતાએ મનાઈ નો કરવી જોઈએ.

મુંબઈમાં કોરોના સંકટ વિસ્ફોટક સ્વરૂપ લઈ રહ્યું છે

તમને જણાવી દઈએ કે મુંબઈમાં કોરોના સંક્રમણ વિસ્ફોટક સ્વરૂપ ધારણ કર્યું છે. મહારાષ્ટ્રમાં સતત બે દિવસથી લગભગ 12 હજાર કે તેથી વધુ કેસ સામે આવી રહ્યા છે. તેમાંથી અડધાથી વધુ એકલા મુંબઈના છે. મુંબઈમાં સતત બે દિવસમાં આઠ હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. બીજી તરફ ઓમિક્રોનની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સોમવારે ઓમિક્રોનના 68 નવા કેસ નોંધાયા હતા. તેમાંથી 40 કેસ એકલા મુંબઈમાં મળી આવ્યા હતા.

આ પણ વાંચ્યો :  મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે અને સાંસદ અરવિંદ સાવંતને થયો કોરોના, અત્યાર સુધીમાં એક ડઝન મંત્રીઓ સંક્રમણની ચપેટમાં

Published On - 6:43 pm, Tue, 4 January 22

Next Article