મુંબઈમાં આગનો સિલસિલો યથાવત : શહેરના વિલે પાર્લે વિસ્તારમાં ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ, ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે

|

Nov 19, 2021 | 1:14 PM

મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં એક ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી છે. હાલમાં ફાયર બ્રિગેડની લગભગ 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

મુંબઈમાં આગનો સિલસિલો યથાવત : શહેરના વિલે પાર્લે વિસ્તારમાં ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ, ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે
Fire in ville parle Area

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં(Ville Parle) એક ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી અનુસાર, બિલ્ડિંગના પહેલા માળેથી આ આગ(Fire)  પ્રસરી હતી. હાલ ફાયર બ્રિગેડની (Fire Brigade)12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. જે બિલ્ડીંગમાં આગ લાગી તે એક મોલ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

જુઓ વીડિયો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર,આ લેવલ-4 ની આગ છે, જો કે હજુ સુધી આ ભીષણ આગમાં કોઈ જાન હાનિના સમાચાર સામે આવ્યા નથી.

શહેરમાં ક્યારે અટકશે આગનો સિલસિલો ?

આ પહેલા ગુરુવારે મુંબઈના ઉપનગર પવઈમાં (Powai) કારના શોરૂમના ગેરેજમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પવઈમાં સાકી વિહાર રોડ પર આવેલા ‘સાઈ ઓટો હ્યુન્ડાઈ શોરૂમ’ના ગેરેજમાં સવારે 11 વાગ્યાની આસપાસ આગ લાગ હતી.

ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતુ કે, પાંચ ફાયર ટેન્ડર, પાણીની ટાંકી અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવાતા મોટી જાનહાની ટળી હતી. આ આગ બપોરે 2.30 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી હતી. જો કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભીષણ આગને પગલે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સેમસંગ સર્વિસ સેન્ટરમાં આગ લાગી હતી

આ સપ્તાહની શરૂઆતમાં પણ મોબાઈલ અને હોમ એપ્લાયન્સ બનાવતી કંપની સેમસંગના સર્વિસ સેન્ટરમાં આગ લાગી હતી. આ કંપની શહેરના કાંજુર માર્ગ વિસ્તારમાં છે. મુંબઈ ઝોન 7ના ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું હતું કે, અમને રાત્રે લગભગ 9 વાગ્યે કાંજુર માર્ગ પર સેમસંગ સર્વિસ સેન્ટરમાં શોર્ટ સર્કિટના કારણે આગની માહિતી મળી હતી. અહેવાલો અનુસાર લગભગ 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.શહેરમાં વારંવાર આગ લાગતા હાલ તંત્રની કામગિરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: નાંદેડ અને માલેગાંવ હિંસા કેસમાં 119 લોકોની ધરપકડ, સાંપ્રદાયિક તણાવ દરમિયાન લાખો રૂપિયાની સંપતિને થયું નુકસાન

આ પણ વાંચો: મુંબઈ ક્રિકેટ એસોસિએશનના વડા મુંબઈ સીનિયર ટીમને મળ્યા, અજિંક્ય રહાણેનું કર્યુ સન્માન

Next Article