MSRTC Strike : મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની હડતાળ ગેરકાયદેસર, લેબર કોર્ટના નિર્ણયથી 65 હજાર કર્મચારીઓને આંચકો

|

Jan 18, 2022 | 5:27 PM

રાજ્ય વાહનવ્યવહાર નિગમના કર્મચારીઓની છેલ્લા અઢી મહિનાથી શરૂ થયેલી આ હડતાળના કારણે સામાન્ય લોકોને ખાનગી બસો, મેક્સી કેબ અને જીપમાં ગેરવ્યાજબી ભાડા ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે.

MSRTC Strike : મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની હડતાળ ગેરકાયદેસર, લેબર કોર્ટના નિર્ણયથી 65 હજાર કર્મચારીઓને આંચકો
MSRTC strike (Symbolic Image)

Follow us on

મુંબઈની લેબર કોર્ટે (Labor Court) મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ના કર્મચારીઓની હડતાળને (MSRTC Strike) ગેરકાયદેસર જાહેર કરી છે. એમએસઆરટીસી/એસટી કર્મચારીઓ રાજ્ય સરકારની સેવામાં વિલીનીકરણની માંગણી સાથે છેલ્લા 83 દિવસથી હડતાળ પર છે. કોર્ટના આ નિર્ણયથી રાજ્ય પરિવહન નિગમના 65 હજારથી વધુ કર્મચારીઓને આંચકો લાગ્યો છે. આ હડતાલને ગેરકાયદેસર જાહેર કરવાની અપીલ કરતાં, કોર્પોરેશને વિવિધ મજૂર અદાલતોમાં ફરિયાદ દાખલ કરી અને કર્મચારીઓના તમામ યુનિયનોને પ્રતિવાદી તરીકે રાખ્યા હતા. આ અંગે સોમવારે મુંબઈના બાંદ્રા સ્થિત લેબર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ઔદ્યોગિક વિવાદોને લગતા કાયદા હેઠળ, જાહેર સેવાના કર્મચારીઓ જો હડતાળ પર જવા માંગતા હોય તો છ અઠવાડિયા પહેલા નોટિસ આપવી જરૂરી છે. પરંતુ હાલ જે હડતાળ ચાલી રહી છે, તેમાં કોઈ પુર્વ સુચના આપવામાં આવી ન હતી. આ સુનાવણીમાં MSRTC વતી એડવોકેટ ગુરુનાથ નાઈકે દલીલો રજૂ કરી હતી જ્યારે કર્મચારીઓના વકીલો ગેરહાજર રહ્યા હતા.

કર્મચારીઓ! ગેરકાયદે હડતાળ તોડો, કામ પર હાજર થાવ – MSRTC

MSRTC વતી, કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે હડતાલને લેબર કોર્ટ દ્વારા ગેરકાયદેસર જાહેર કર્યા પછી પણ હડતાળ ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. આથી કર્મચારીઓના હિતમાં છે કે તેઓ વહેલી તકે કામ પર આવે અને ગેરકાયદેસર હડતાળમાં ભાગ ન લે. આ માહિતી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર શેખર ચેન્નાઈના નામે જાહેર કરવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ થયુ હડતાળ બાદ, અત્યાર સુધી 3862 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા

આ દરમિયાન હડતાળ પર જવાની સજા કર્મચારીઓને મળી રહી છે. સોમવારે પણ કોર્પોરેશને 304 કર્મચારીઓને છૂટા કર્યા હતા. અત્યાર સુધીમાં કુલ 3862 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે તેમજ 11 હજાર 24 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ માહિતી MSRTC દ્વારા આપવામાં આવી છે. રાજ્ય પરિવહન નિગમમાં કુલ 92 હજાર 266 કર્મચારીઓ છે. તેમાંથી 26 હજાર 619 કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે જ્યારે 65 હજાર 647 કર્મચારીઓ હડતાળમાં સામેલ છે. છેલ્લા અઢી મહિનાથી શરૂ થયેલી આ હડતાળના કારણે સામાન્ય લોકોને ખાનગી બસો, મેક્સી કેબ અને જીપમાં ગેરવાજબી ભાડા ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે.

આ પણ વાંચો :  Maharashtra: ભાજપ નેતા રામકદમે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પર FIR દાખલ કરવાની કરી માંગ, PM મોદી પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

Next Article