Karnataka Election Result: ‘કર્ણાટકમાં કોંગ્રેસની જીત ઝાંખી, મહારાષ્ટ્ર અને દેશ હજુ બાકી’, સંજય રાઉતે કહ્યું ‘મોદી લહેર હવે ખત્મ’

|

May 14, 2023 | 4:15 PM

Karnataka Election Result: સાંસદ સંજય રાઉતે કહ્યું કે કર્ણાટકે દેશમાં નફરતના બજારોને બંધ કરવાના દરવાજા ખોલી દીધા છે. કર્ણાટકની જનતાએ બતાવ્યું છે કે સરમુખત્યારને કેવી રીતે હરાવી શકાય છે.

Karnataka Election Result: કર્ણાટકમાં કોંગ્રેસની જીત ઝાંખી, મહારાષ્ટ્ર અને દેશ હજુ બાકી, સંજય રાઉતે કહ્યું મોદી લહેર હવે ખત્મ
Sanjay Raut

Follow us on

કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર કોંગ્રેસ કરતા વિરોધ પક્ષો વધુ ખુશ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ બાદ હવે શિવસેનાના (Shivsena) ઉદ્ધવ જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે તમે લોકો હવે રાહ જુઓ. ભાજપને વધુ ને વધુ આંચકા મળવાના છે. સંજય રાઉતે કહ્યું, “કર્ણાટકમાં કોંગ્રેસની જીત માત્ર એક ઝાંખી છે, મહારાષ્ટ્ર અને દેશ બાકી છે.”

સાંસદ સંજય રાઉતે કહ્યું કે કર્ણાટકે દેશમાં નફરતના બજારોને બંધ કરવાના દરવાજા ખોલી દીધા છે. કર્ણાટકની જનતાએ બતાવ્યું છે કે સરમુખત્યારને કેવી રીતે હરાવી શકાય છે. અમે કર્ણાટકના લોકોનો આભાર માન્યો છે. સંજય રાઉતે કહ્યું કે બજરંગબલીએ કર્ણાટકમાં પ્રચારમાં ચોક્કસ ભાગ લીધો છે, પરંતુ તેમનું અભિયાન જનતા સાથે રહ્યું.

સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસ જીતી ગઈ, મતલબ કે બજરંગબલી ભાજપ સાથે નહીં, કોંગ્રેસ સાથે હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારમાં બજરંગબલીને લઈને આવ્યા હતા. આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ કહેતા હતા કે કર્ણાટકમાં ભાજપ હારશે તો રમખાણો થશે, પરંતુ જીત બાદ કર્ણાટક સંપૂર્ણપણે શાંત છે અને ઉજવણી કરી રહ્યું છે. શું દેશના ગૃહમંત્રી અમિત શાહ આપી રહ્યા હતા ધમકી? સંજય રાઉતે કહ્યું કે ભાજપના દિગ્ગજ નેતાઓ ત્યાં ધામા નાખતા હતા, પરંતુ જનતાના જનાદેશે તમને ઝુકાવી દીધા.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

આ પણ વાંચો: Breaking News: IPS પ્રવીણ સૂદ બન્યા CBIના નવા ડિરેક્ટર, સુબોધ કુમાર જયસ્વાલનું લેશે સ્થાન

2024માં યોજાનારી ચૂંટણી માટે તૈયાર

સંજય રાઉતે કહ્યું કે 2024ની લોકસભાની અમારી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આજે મહારાષ્ટ્રમાં શરદ પવારના નેતૃત્વમાં બેઠક બોલાવવામાં આવી છે. અમે આ બેઠકમાં 2024 વિશે ચર્ચા કરીશું. અમે ચૂંટણીની તૈયારી કરીશું. સંજય રાઉતે કહ્યું કે દેશમાંથી મોદી લહેર ખતમ થઈ રહી છે. દેશભરમાં એક નવી લહેર દોડવા જઈ રહી છે અને તે લહેર આપણી હશે.

શિંદે જૂથના ધારાસભ્ય અને મંત્રીઓ ઉદય સામંત અને સંજય શિરસાટે અમારી સહયોગી ચેનલ TV9 ભારતવર્ષને જણાવ્યું હતું કે NCP, કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. આ સવાલના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે ચાલો જોઈએ કે કેટલા લોકો તેમના સંપર્કમાં છે. જેટલા લોકો આવે તેટલા લો. કેટલા લોકો તમારો સાથ છોડશે, તે આવનારા દિવસોમાં સમજાશે. તેઓ કોને ધમકી આપી રહ્યા છે? આ બધા ભ્રષ્ટ લોકો છે. મહારાષ્ટ્રને ભ્રષ્ટ બનાવી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રને લૂંટવાનું કામ ભાજપ કરી રહી છે. તેઓ માત્ર મોટી વાતો કરે છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article