મરાઠા અનામત: આ મુદ્દાઓ પર બની સહમતિ, મુખ્યપ્રધાન શિંદેએ કહ્યું ‘કોઈ પણ પરિસ્થિતિમાં વચન પુરા કરવામાં આવશે’

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જાતે જ્યુસ પીવડાવીને મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલના ઉપવાસ ખત્મ કરાવ્યા. તેની સાથે જ મુખ્યપ્રધાન શિંદેએ જરાંગે પાટીલને સરકારી GRની કોપી સોંપી. સીએમ અને જરાંગેએ મળીને શિવાજી મહારાજની મૂર્તિને ફૂલની માળા પહેરાવી.

મરાઠા અનામત: આ મુદ્દાઓ પર બની સહમતિ, મુખ્યપ્રધાન શિંદેએ કહ્યું કોઈ પણ પરિસ્થિતિમાં વચન પુરા કરવામાં આવશે
Maratha Reservation
| Updated on: Jan 27, 2024 | 1:28 PM

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા અનામતનો પ્રશ્ન આખરે હલ થઈ ગયો છે. શુક્રવારે મોડી રાત્રે મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિમંડળ અને મરાઠા અનામતના નેતા મનોજ જરાંગે પાટીલની વચ્ચે થયેલી વાતચીતથી અનામતના પ્રશ્નને લઈ સમાધાન મળી આવ્યું છે. આ રીતે મનોજ જરાંગે પાટીલે આંદોલન અને ઉપવાસ બંને જ ખત્મ કરવાનો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જાતે જ્યુસ પીવડાવીને મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલના ઉપવાસ ખત્મ કરાવ્યા. તેની સાથે જ મુખ્યપ્રધાન શિંદેએ જરાંગે પાટીલને સરકારી GRની કોપી સોંપી. સીએમ અને જરાંગેએ મળીને શિવાજી મહારાજની મૂર્તિને ફૂલની માળા પહેરાવી.

આ મુદ્દાઓ પર સહમતિ થઈ

  1. મરાઠા સમુદાયના 54 લાખ લોકોને કુનબી રેકોર્ડ મળ્યા છે. તેમને જાતિ પ્રમાણ પત્ર વહેંચવામાં આવે જો તમે વ્યક્તિનું સાચુ નામ જાણવા ઈચ્છો છો તો ગ્રામ પંચાયતથી રેકોર્ડ સાથે કાગળને બહારની દિવાલ પર લગાવવા માટે કહે. ત્યારબાદ લોકો પ્રમાણ પત્ર માટે અરજી કરી શકે છે. અભિલેખ પ્રાપ્ત કરનારા તમામ પરિવારોને અભિલેખના આધાર પર પ્રમાણ પત્ર આપવામાં આવે.
  2. જે 37 લાખ લોકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે, તેની જાણકારી મરાઠા પ્રદર્શનકારીઓને આપવામાં આવવી જોઈએ, પ્રદર્શનકારીઓને થોડા દિવસમાં આ ડેટા મળી જશે.
  3. શિંદે સમિતિને રદ કરવામાં ના આવવી જોઈએ, આ સમિતિને મરાઠાઓના કુનબી અભિલેખોની શોધ ચાલુ રાખવી જોઈએ. ત્યારબાદ સરકારે સમયમર્યાદા બે મહિના વધારી દીધી છે. પ્રદર્શનકારીઓની માગ હતી કે આ કમિટી 1 વર્ષ માટે હોવી જોઈએ.
  4. જેમનું રજીસ્ટ્રેશન થયુ છે તેમના પરિવારના નજીકના સભ્યોને પ્રમાણપત્રો આપવા જોઈએ. સરકારી નિર્ણય/વટહુકમ આપવો જોઈએ, જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. જો રજિસ્ટર્ડ વ્યક્તિ તેના સંબંધીઓ અંગે સોગંદનામું રજૂ કરે તો તેને પણ કુણબી પ્રમાણપત્ર આપવું જોઈએ. ઉપરાંત, આ એફિડેવિટ કોઈ પણ પ્રકારના ખર્ચ વગર આપવુ જોઈએ.
  5. મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તાર પર મરાઠા આંદોલન દરમિયાન દાખલ કરેલા કેસ પરત લેવામાં આવે, તેની પર ગૃહવિભાગનું કહેવું છે કે નક્કી કરેલી પ્રક્રિયાનું પાલન કરીને કેસ પરત લેવામાં આવશે.

જે વચન આપવામાં આવ્યા છે તે પુરા કરવામાં આવશે

મુખ્યપ્રધાન શિંદેએ વધુમાં કહ્યું કે જરાંગે પાટીલે કહ્યું હતું કે અમારે કોઈના હક્કનું અનામત જોઈતુ નથી અને અમે તેવુ જ કર્યુ છે. અમે મરાઠા સમુદાયને OBC સુવિધાઓ આપીશું. જે લોકોએ બલિદાન આપ્યુ, તેમના પરિવારને નોકરી આપવામાં આવશે. જે વચન આપવામાં આવ્યા છે, તેને પુરા કરવામાં આવશે.